Gujrat news : ગુજરાતના હવામાન વિભાગ દ્વારા આવતા દિવસોમાં વરસાદ રહેવાની શક્યતાઓ જણાવવામાં આવી રહી છે. બુધવારે મનોરમા મોહંતીએ રાજ્યમાં પાંચ દિવસ અલગ-અલગ ભાગોમાં વરસાદ રહેવાની વાત કરી હતી. અંબાલાલ પટેલે ચોમાસું કર્ણાટકમાં ગૂંચવાયું હોવા છતાં ગુજરાતમાં 25-30 જૂનમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ જણાવી છે.
અંબાલાલે કહ્યું છે કે, વાવાઝોડા અને ચોમાસાની અસરથી ગુજરાતમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. આ તરફ હવામાન વિભાગે આગામી દિવસમાં રાજ્યના દક્ષિણ ભાગમાં તથા સૌરાષ્ટ્રમાં વરસાદ થવાની શક્યતાઓ જણાવી છે. ગુજરાતમાં આવેલું વાવાઝોડું ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થયું છે, વાવાઝોડાના કારણે વાવણી લાયક વરસાદ થયો છે. હવે આગામી દિવસોમાં પણ ગુજરાતમાં વરસાદ રહેવાની સંભાવનાઓના કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. જોકે, ચોમાસું ક્યારે બેસશે તેને લઈને ખેડૂતોને મોટો સવાલ થઈ રહ્યો છે.
ગુજરાતમાં 15 જૂનની આસપાસ ચોમાસાની શરુઆત થતી હોય છે પરંતુ આ વર્ષે વાવાઝોડાના કારણે ચોમાસાની સિસ્ટમ પર અસર થઈ છે, જોકે, અગાઉ દેશના હવામાન વિભાગે ચોમાસાની સિસ્ટમ આગળ વધવા માટે સાનુકૂળ હોવાનું કહ્યું છે.
અમદાવાદ હવામાન કેન્દ્રના ડિરેક્ટર ડૉ. મનોરમા મોહંતી જણાવે છે કે, ગુજરાતમાં આગામી 5 દિવસ સામાન્ય વરસાદની શક્યતા છે. કારણે કે, ભેજ આવી રહ્યો છે. જેના કારણે વાદળછાયું વાતાવરણ રહેશે. જોકે, ગુજરાતમાં ચોમાસાનું આગમન ક્યારે થશે તેની કોઈ સ્પષ્ટતા કરી નથી. પાંચ દિવસની બુધવારે કરવામાં આવેલી આગાહી પ્રમાણે આજે ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગોનો સમાવેશ થાય છે. જેમાં દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપીમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આવતા ત્રણ દિવસ દરમિયાન સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ તથા સૌરાષ્ટ્રના પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ અને દીવમાં વરસાદ થવાની શક્યતાઓ છે. જોકે, હવામાન વિભાગે આ ચાર દિવસો માટે કોઈ ચેતવણી આપી નથી. આ દિવસોમાં હળવો વરસાદ થવાની શક્યતાઓ છે. બુધવારે વલ્લભ વિદ્યાનગર 38 ડિગ્રી તાપમાન સાથે સૌથી ગરમ શહેર રહ્યું હતું. જે પછી અમદાવાદ, વડોદરા સહિત અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગરમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી નોંધાયું હતું.
આ પણ વાંચો
PM મોદીની મુલાકાતનો તમામ ખર્ચ અમેરિકા કેમ ઉઠાવી રહ્યું છે, જાણો રાજ્ય મુલાકાતમાં શું ખાસ હોય છે
મેકર્સે બદલ્યા આદિપુરુષના ડાયલોગ, હવે ‘જલેગી તેરે બાપ કી’ને બદલે ‘હનુમાન જી’ આ કહેતા જોવા મળશે
PM મોદી જ્યાં રોકાયા છે તે ન્યૂયોર્કની હોટેલ એટલી આલીશાન છે કે વાત ન પૂછો, ભાડુ જાણીને ચોંકી જશો
અંબાલાલ પટેલે જણાવ્યું કે વાવાઝોડાની સંતાકૂકડીના લીધે ભારતમાં ચોમાસું કંઈક નવી જાતનું રહેવાની સંભાવના છે. દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ નથી થયો ત્યાં પણ વરસાદ થવાની શક્યતાઓ છે. અંબાલાલે 25 થી 30 જુન દરમિયાન રાજ્યમાં ભારે વરસાદ થવાની અને નદીઓમાં નવા નીર આવવાની આગાહી કરી છે.