કોરોના વાયરસના કારણે મૃત્યુંઆંક ફરી વધવા લાગ્યો છે. સંક્રમિત દર્દીઓના આંકડા પણ ઝડપથી વધી રહ્યા છે. કોરોનાના કારણે રોજિંદા મૃત્યુના મામલે ભારત ફરીથી વિશ્વના ટોપ-૨૦ દેશોની યાદીમાં સામેલ થઈ ગયું છે. અત્યાર સુધીમાં આખા વિશ્વમાં ૬૨ લાખ ૪૦ હજારથી વધુ લોકો સંક્રમણના કારણે જીવ ગુમાવી ચૂક્યા છે. જેમાં ૫ લાખ ૨૨ હજાર ૧૪૯ લોકો ભારતના હતા. સૌથી વધારે અમેરિકામાં ૧૦ લાખ મૃત્યું થયા છે. ત્યાં હજુ પણ વાયરસનો કહેર ચાલું છે. ત્યારબાદ બ્રાઝિલમાં ૬.૬૨ લાખ દર્દીઓના મૃત્યું થયા છે.
સંક્રમણના કારણે મૃત્યુના મામલામાં ભારત ત્રીજા ક્રમે છે. કોરોનાના કારણે દરરોજ થતા મૃત્યુના મામલામાં ભારત હવે ટોપ-૨૦ દેશોમાં સામેલ થઈ ગયું છે. મોતના આંકડા પ્રમાણે દરરોજ આ યાદી બદલાતી રહે છે. જાેકે, ભઆરત તેમાં ૧૫માંથી ૧૭માં નંબર પર છે. શુક્રવારે દેશમાં ૩૩ લોકોના સંક્રમણના કારણે મોત થયા છે.
આ મામલે ભારત ૧૫માં નંબર પર છે. ગુરૂવારે પણ ભારત ૧૫માં સ્થાન પર જ હતું. ત્યારે દેશમાં ૫૪ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ પ્રમાણે છેલ્લા એક અઠવાડિયામાં એટલે કે, ૧૬ એપ્રિલથી ૨૨ એપ્રિલ દરમિયાન ૪૦૨ લોકોના મૃત્યું થયા છે અને આ અગાઉ ૯થી ૧૫ એપ્રિલ દરમિયાન ૯૧ લોકોના મૃત્યુ થયા હતા. દેશના ૯ રાજ્યોના ૩૬ જિલ્લાઓમાં સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે.
આ જિલ્લાઓમાં પોઝિટિવિટી રેટ ૫%થી વધારે છે. જેમાં હરિયાણાનું ગુરૂગ્રામ અને ફરીદાબાદ, ઉત્તર પ્રદેશનું નોઈડા, મધ્યપ્રદેશનું શ્યોપુર, દિલ્હીનું સાઉથ, નોર્થ વેસ્ટ, વેસ્ટ, સેન્ટ્રલ, સાઉથ વેસ્ટ અને નવી દિલ્હી સામેલ છે. ગુરૂગ્રામમાં પોઝિટિવિટી રેટ ૧૨.૫૫%, નોઈડામાં ૧૨.૩૯%, શ્યોપુરમાં ૨૨.૨૨% છે. આ ઉપરાંત કેરળના ૧૪, મિઝોરમના ૯ અને સિક્કિમનો એક જિલ્લો સામેલ છે. કોરોના આ વખતે બાળકોને પોતાની લપેટમાં લઈ રહ્યો છે. દિલ્હી-એનસીઆરમાં જ છેલ્લા ૧૦ દિવસમાં સંક્રમિત લોકોમાં ૨૫ થી ૩૦ ટકા બાળકો છે.