પુરાતત્વવિદોએ સુદાનમાં એક મંદિરના અવશેષો શોધી કાઢ્યા છે જે લગભગ 2700 વર્ષ જૂના છે. આ મંદિર તે સમયનું છે જ્યારે આ પ્રદેશમાં કુશ નામનું વિશાળ સામ્રાજ્ય અસ્તિત્વમાં હતું. આજના સુદાન, ઇજિપ્ત અને મધ્ય પૂર્વના ભાગો આ રાજ્ય હેઠળ સમાવિષ્ટ હતા. મંદિરના અવશેષો જૂના ડોંગોલા ખાતે મધ્યયુગીન કિલ્લામાંથી મળી આવ્યા છે. આ સ્થળ આધુનિક સુદાનમાં નાઇલ નદીના ત્રીજા અને ચોથા ‘મોતીયા’ (ધોધ) વચ્ચે સ્થિત છે. મંદિરના કેટલાક પથ્થરોને આકૃતિઓ અને ચિત્રલિપી શિલાલેખોથી શણગારવામાં આવ્યા હતા. આઇકોનોગ્રાફી અને લિપિનું પૃથ્થકરણ સૂચવે છે કે તેઓ 1લી સહસ્ત્રાબ્દી પૂર્વેના પ્રારંભિક માળખાનો ભાગ હતા. યુનિવર્સિટી ઓફ વોર્સો ખાતે પોલિશ સેન્ટર ઓફ મેડિટેરેનિયન આર્કિયોલોજીના પુરાતત્વવિદોએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ શોધ આશ્ચર્યજનક હતી કારણ કે જૂના ડોંગોલામાંથી હજુ સુધી 2,700 વર્ષથી વધુ જૂનું કંઈ મળ્યું નથી.
મંદિરના કેટલાક અવશેષોની અંદર, પુરાતત્વવિદોને શિલાલેખોના ટુકડા મળ્યા છે. આમાંના એક અનુસાર મંદિર કાવાના અમુન-રાનું હતું. સંશોધન ટીમ સાથે સહયોગ કરનાર ઇજિપ્તોલોજિસ્ટ ડેવિડ વિઝોરેકે લાઇવ સાયન્સને ઇમેઇલમાં જણાવ્યું હતું. અમુન-રા કુશ અને ઇજિપ્તમાં પૂજાતા દેવતા હતા અને કાવા સુદાનમાં એક પુરાતત્વીય સ્થળ છે જેમાં મંદિર છે. હાલ એ સ્પષ્ટ નથી થયું કે નવા મળેલા અવશેષો એ જ મંદિરના છે કે બીજા કોઈના.
ગુજરાતમાં ચમત્કાર: 2 દિવસથી સાબરકાંઠામાં જમીનમાંથી નીકળી રહ્યા છે ધૂમાડા, લોકોના પગ દાઝ્યા, ફાયર વિભાગ પણ ફેલ
જુલિયા બુડકા, જે સુદાનમાં વ્યાપકપણે કામ કરે છે, તેણે લાઇવ સાયન્સને એક ઇમેઇલમાં જણાવ્યું હતું કે આ એક ખૂબ જ મહત્વપૂર્ણ શોધ છે જે ઘણા પ્રશ્નો ઉભા કરે છે. જોકે જુલિયા મંદિરના અવશેષોની શોધનો ભાગ નથી. પરંતુ તેમનું માનવું છે કે મંદિરનો ચોક્કસ સમય જાણવા માટે વધુ સંશોધનની જરૂર છે. તેણી કહે છે કે એક પ્રશ્ન એ પણ છે કે શું ઓલ્ડ ડોંગોલા ખાતેનું મંદિર અસ્તિત્વમાં હતું કે શું અવશેષો કાવા અથવા અન્ય કોઈ જગ્યાએથી ખસેડવામાં આવ્યા હતા.