Cricket News: ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya) વર્લ્ડ કપ 2023માંથી બહાર થઈ ગયો છે. આ સમાચાર આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારત માટે મોટો ઝટકો છે. પહેલા એવી આશા હતી કે હાર્દિક ટીમ ઈન્ડિયાની છેલ્લી લીગ મેચ કે સેમીફાઈનલ કે ફાઈનલ પહેલા જ બહાર થઈ જશે, પરંતુ હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે તે વર્લ્ડ કપ 2023માં ટીમ ઈન્ડિયા માટે કોઈ મેચ નહીં રમે. તેના સ્થાને પ્રસિધ કૃષ્ણાની ટીમમાં એન્ટ્રી થઇ ગઇ છે.
વર્લ્ડ કપ 2023માં ભારતીય ટીમ અજેય રહી હતી. તે સાતમાંથી સાત મેચ જીતીને સેમિ ફાઇનલમાં પહોંચી છે. હવે ટીમ ઈન્ડિયાને બાકીની મેચો 5 નવેમ્બરે સાઉથ આફ્રિકા અને 12 નવેમ્બરે નેધરલેન્ડ સામે રમવાની છે. ત્યાર બાદ સેમીફાઈનલ (15 કે 16 નવેમ્બર) છે. ત્યારબાદ 19 નવેમ્બરે વર્લ્ડ કપની ફાઇનલ છે.
આવી સ્થિતિમાં હાર્દિકની ગેરહાજરીને કારણે ટીમ ઈન્ડિયાને તેમના કોમ્બિનેશનમાં ચોક્કસ તેની ખોટ સાલશે. લેટેસ્ટ અપડેટ અનુસાર સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પગની ઘૂંટીની ઈજામાંથી બહાર આવવામાં નિષ્ફળ રહ્યો છે અને તે ટૂર્નામેન્ટની બાકીની મેચોમાં રમી શકશે નહીં.
19 ઓક્ટોબરે પૂણેમાં બાંગ્લાદેશ સામેની ભારતની વર્લ્ડ કપની મેચ દરમિયાન બોલિંગ કરતી વખતે પંડ્યાને ડાબા પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી. પ્રસિધ કૃષ્ણા તેના સ્થાને ટીમ ઈન્ડિયામાં ભારતીય ટીમમાં સામેલ થશે.
લગ્નની સિઝન શરૂ થવા જઈ રહી છે, કુંવારાઓ અને પરણેલાઓ ખાસ જાણી લો 7 વચનનો ઉંડાણપૂર્વક અર્થ
અડધી રાત્રે ભૂકંપનો ભયંકર આંચકો, 129 લોકોના મોત… આખું ભારત થરથર ધ્રુજી ઉઠ્યું, અધિકારીઓની રજા રદ્દ
“શું તમે જાણો છો ? સ્વયં ગાય જ એક માત્ર સ્વર્ગમાં જવાની સીડી છે.” વાંચો કૃષ્ણપ્રિયાનો લેખ
પ્રસિધ કૃષ્ણની પસંદગી આશ્ચર્યજનક છે …
પ્રસિધ કૃષ્ણાની પસંદગી પણ ટીમમાં આશ્ચર્યજનક છે, કારણ કે તે બોલર છે. અગાઉ એવી આશા રાખવામાં આવી રહી હતી કે, જો હાર્દિક ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જશે તો તેના સ્થાને કોઈ ઓલરાઉન્ડરને સામેલ કરવામાં આવશે, પણ આ બિનઅનુભવી ફાસ્ટ બોલરને શનિવારે ટુર્નામેન્ટ ઈવેન્ટ ટેકનિકલ કમિટિની મંજૂરી મળ્યા બાદ ટીમ ઈન્ડિયાની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.