રીપોટર, મૌલિક દોશી (અમરેલી): આજ રોજ ભારતીય જનતા યુવા મોરચા ના ઉપક્રમે (સામાજિક ન્યાય પખવાડિયા) અંતર્ગત નિઃશુલ્ક કોરોના રસીકરણ જાગૃતિ અભિયાન થકી જી.જી.બેન ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થી બહેનો સાથે વાર્તાલાપ કર્યો. માર્ગદર્શક તરીકે પ્રદેશ શિક્ષણ સેલના સભ્ય, અમરેલી ભાજપના પૂર્વ શહેર પ્રમુખ શ્રી બીપીનભાઈ જોશીની અધ્યક્ષતામાં આ અભિયાન પૂર્ણ થયું.
આ તકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય શ્રી પાર્થિવભાઈ જોશી, જિલ્લા યુવા ભાજપના મહામંત્રી શ્રી મૌલિકભાઈ ઉપાધ્યાય, અમરેલી શહેર યુવા મોરચાના પ્રમુખ શ્રી અર્જુન દવે, જિલ્લા યુવા મોરચાના ઉપપ્રમુખ વિરલભાઈ પરીખ, સોશ્યલ મીડિયા સેલના ઇન્ચાર્જ શ્રી સંદીપભાઈ ત્રિવેદી, શ્રી સ્મિતભાઈ લાખાણી હાજર રહ્યા હતા.
આ સાથે યુથ ડેવલપમેન્ટ સેલના શ્રી મંથનભાઈ જોશી, અમરેલી શહેર યુવા મોરચાના કારોબારી સભ્ય શ્રી દિલીપભાઈ લશ્કરી અને સોશ્યલ મીડિયા સેલના ઇન્ચાર્જ બ્રિજેશભાઈ પડસલા હજાર રહી અને વિદ્યાર્થી બહેનો સાથે સંવાદ કર્યો હતો. આ કાર્યક્રમ માટે સંસ્થાના પ્રિન્સિપાલ શ્રી રોહિતભાઈ મહેતાએ સુંદર આયોજન કરી આપ્યું હતું.