JFSL Share Price: મુકેશ અંબાણીની (Mukesh Ambani) આગેવાની હેઠળની રિલાયન્સ ગ્રૂપની (Reliance Group) વિમુખ થયેલી નોન બેન્કિંગ ફાઇનાન્સિયલ સર્વિસીસ (Non Banking Financial Services) કંપની જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસ લિમિટેડ (JFSL)ને નિફ્ટી 50 સહિત નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના વિવિધ સૂચકાંકોમાંથી ગુરુવારે દૂર કરવામાં આવશે. ૨૧ ઓગસ્ટે બીએસઈની સાથે એનએસઈ પર જિઓ ફાઇનાન્શિયલના શેર પણ સૂચિબદ્ધ થયા હતા. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝથી અલગ થયા બાદ તેને અલગ કંપની તરીકે બજારમાં લિસ્ટ કરવામાં આવી હતી.
એનએસઈના સૂચકાંકમાંથી શેર દૂર કરવામાં આવશે
નિફ્ટી દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ નોટમાં કહેવામાં આવ્યું હતું કે 7 સપ્ટેમ્બરથી જિયો ફાઇનાન્સિયલ સર્વિસિસ (JFS) ને NSE ઇન્ડેક્સમાંથી નિફ્ટી 50 સહિત દૂર કરવામાં આવશે. NSE સૂચકાંકોએ જુલાઇ 20 થી ડી-મર્જર પ્રક્રિયા હેઠળ JFSLને અલગ સૂચકાંકોમાં સામેલ કર્યા હતા. એક મહિના પછી, જિયો ફાઇનાન્શિયલના શેર 21 ઓગસ્ટ, 2023ના રોજ લિસ્ટ થયા. નિયમો મુજબ, Jio Financial 4 સપ્ટેમ્બર, 2023 અને 5 સપ્ટેમ્બર, 2023 ના રોજ NSE પર સળંગ બે ટ્રેડિંગ સેશનમાં સર્કિટ મર્યાદા સુધી પહોંચી ન હતી.
નિફ્ટી50 ઉપરાંત તેને અન્ય સૂચકાંકોમાંથી પણ દૂર કરવામાં આવશે.
આવી સ્થિતિમાં, એનએસઈ વતી આ સ્ટોકને બાકાત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે શેરના ભાવમાં કોઈપણ પ્રકારની વધઘટ ન થાય તે માટે જિયો ફાઇનાન્શિયલને એનએસઈના ઘણા સૂચકાંકોનો ભાગ બનાવવામાં આવ્યો હતો. આનાથી સ્ટોક પર નજર રાખી શકાતી હતી. હવે આ સ્ટોક નિફ્ટી 50 ઉપરાંત નિફ્ટી 100, નિફ્ટી 200 અને નિફ્ટી 500 ઇન્ડેક્સમાંથી દૂર થશે.
તાજેતરમાં બીએસઈએ જિયો ફાઇનાન્શિયલના શેરની સર્કિટ લિમિટ 5 ટકાથી વધારીને 20 ટકા કરી દીધી હતી. આ એટલા માટે કરવામાં આવ્યું હતું કે કંપનીના શેરનો દર એક સત્રમાં એક નિશ્ચિત મર્યાદાથી વધુ વધઘટ ન થાય. સ્ટોકમાં મહત્તમ વોલેટિલિટીની આ ઉપલી મર્યાદા છે. આ પહેલા 1 સપ્ટેમ્બરના રોજ જિયો ફાઇનાન્શિયલનો શેર બેન્ચમાર્ક સેન્સેક્સ સહિત બીએસઇના તમામ સૂચકાંકોમાંથી દૂર કરવામાં આવ્યો હતો.