આકાશ-ઈશા-અનંત અંબાણીએ એક નિર્ણય લઈને આખી દુનિયાને આશ્ચર્યચકિત કરી દીધી

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
(Reliance Industries), Reliance, MukeshAmbani #lokpatrika
Share this Article

Reliance Industries Limited : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (Reliance Industries) લિમિટેડના ડાયરેક્ટર બનાવવામાં આવેલા અંબાણી પરિવારના ત્રણેય બાળકો કોઇ પણ પ્રકારનો પગાર નહીં લે. તેમને બોર્ડ અને બેઠકોમાં સાંજની હાજરી માટે જ ફી ચૂકવવામાં આવશે. તેમની નિમણૂક પર શેરધારકોની મંજૂરી મેળવવા માટે કંપનીએ મૂકેલા પ્રસ્તાવમાં આ માહિતી આપવામાં આવી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી (mukesh ambani) નાણાકીય વર્ષ 2020-21થી પહેલાથી જ કોઇ સેલરી નથી લઇ રહ્યા. ઓગસ્ટમાં યોજાયેલી એજીએમમાં તેમના પુત્રો આકાશ અને અનંત અને પુત્રી ઇશાની જાહેરાત કરવામાં આવી હતી.

 

 

કંપની પાસેથી કોઈ પણ પ્રકારનો પગાર નહીં લે

રિલાયન્સે આ ત્રણ નિમણૂકો પર મંજૂરી મેળવવા માટે તેના શેરહોલ્ડરોને પોસ્ટ દ્વારા એક પત્ર મોકલ્યો છે. પત્રમાં જણાવવામાં આવ્યું છે કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અથવા કમિટીની બેઠકમાં ભાગ લેવા માટે નવા ડિરેક્ટર્સને ફી તરીકે ચૂકવવામાં આવશે. તે ડિરેક્ટર તરીકે કંપની પાસેથી કોઈ પગાર લેશે નહીં. રિલાયન્સના રિટેલ બિઝનેસ રિલાયન્સ રિટેલની જવાબદારી ઇશા અંબાણી સંભાળી રહી છે. આકાશ અંબાણી ટેલિકોમ કંપની જિયોની જવાબદારી સંભાળી રહ્યા છે. આ સિવાય અનંત અંબાણી પાસે રિલાયન્સનો એનર્જી એન્ડ રિન્યુએબલ એનર્જી બિઝનેસ (Energy and Renewable Energy Business) છે.

 

 

મુકેશ અંબાણી પોતે ઝીરો સેલેરી લઈ રહ્યા છે

મુકેશ અંબાણીએ તેમની ઉત્તરાધિકાર યોજના હેઠળ તેમના ત્રણ બાળકોમાં વ્યવસાયના જુદા જુદા ભાગોનું વિતરણ કર્યું છે. જોકે તેઓ આગામી પાંચ વર્ષ સુધી કંપનીના ચેરમેન તરીકે રહેશે. મુકેશ અંબાણી પોતે વર્ષ 2020-21થી કંપની પાસેથી ઝીરો સેલેરી લઈ રહ્યા છે. તેના પિતરાઇ ભાઇઓ નિખિલ અને હિતલ અને અન્ય એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સને પગાર, ભથ્થાં અને કમિશન વગેરે ચૂકવવામાં આવે છે. આકાશ, ઇશા અને અનંતને માત્ર કંપની દ્વારા કમાયેલી સિટિંગ ફી અને નફા પર જ કમિશન મળશે.

 

પરિણીતી બાદ કંગના રનૌત આ બિઝનેસમેન સાથે ફરશે સાત ફેરા, આ એક્ટરના ખુલાસા બાદ ચારેકોર ચર્ચા જામી

ભારત આવ્યા ત્યારે કેનેડિયન PM જસ્ટિન ટ્રુડોના પ્લેનમાં ડ્રગ્સ હતું? પૂર્વ ભારતીય રાજદ્વારીનો સનસનીખેજ દાવો

ઓફિસ અને ઘરમાં આ વસ્તુઓથી મહિલાઓને આવી શકે હાર્ટ એટેક, હાલ જ બહાર ફેંકી દો, જેથી ભોગવવું ન પડે

 

ત્રણેયની નિમણૂકની શરતો એક જ છે, જેના આધારે અંબાણીની પત્ની નીતાને 2014માં કંપનીના બોર્ડમાં નિયુક્ત કરવામાં આવી હતી. તેમણે નાણાકીય વર્ષ 2022-23માં 6 લાખ રૂપિયાની સીટિંગ ફી અને 2 કરોડ રૂપિયાનું કમિશન દાખલ કર્યું હતું.

 


Share this Article