હાર્દિક પંડ્યાને T20 વર્લ્ડ કપની ટીમમાં સ્થાન નહીં મળે… ભૂતપૂર્વ મુખ્ય પસંદગીકારે ખુલાસો કરતાં જ હાહાકાર

Lok Patrika
By Lok Patrika
Share this Article

Cricket News: IPL 2024 ના પ્રથમ તબક્કાનું પ્રદર્શન T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની પસંદગીમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. હવે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર વેંકટેશ પ્રસાદની એક સલાહે સોશિયલ મીડિયા પર ચાહકોને બે જૂથોમાં વહેંચી દીધા છે કારણ કે તેણે હાર્દિક પંડ્યાને T20 વર્લ્ડ કપની ટીમમાં સ્થાન ન મળવાની સંભાવના વ્યક્ત કરી છે. દિગ્ગજ ક્રિકેટર વેંકટેશ પ્રસાદના કહેવા પ્રમાણે, ટીમમાં વિરાટ કોહલી અને રોહિત શર્માની સાથે હાર્દિક પંડ્યાને ટીમમાં સામેલ કરવામાં નહીં આવે. ટીમ મેનેજમેન્ટમાં સૌથી વધુ ચર્ચા વિકેટકીપર બેટ્સમેનને લઈને થશે. વેંકટેશ પ્રસાદ પોતે મુખ્ય પસંદગીકાર રહી ચૂક્યા છે, તેથી તેમની સલાહને ગંભીરતાથી લઈ શકાય છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરીમે આ વાત કરવામાં આવી છે. આ 3 ખેલાડીઓને વર્લ્ડકપ માટે પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળે તો તે ભારતીય ટીમ માટે સારું રહેશે. વિરાટ કોહલી અને રોહિત શર્માની હાજરીમાં માત્ર એક જ વિકેટકીપર બેટ્સમેનનું સ્થાન ખાલી રહેશે. પસંદગી કેવી રીતે થશે તે રસપ્રદ રહેશે.

તમને જણાવી દઈએ કે T20 વર્લ્ડ કપ 2024ની યજમાની યુએસએ અને વેસ્ટ ઈન્ડિઝ કરશે અને આ મહાકુંભ 1 જૂનથી શરૂ થવા જઈ રહ્યો છે. ICCએ વર્લ્ડ કપ માટે ટીમોની જાહેરાત કરવાની છેલ્લી તારીખ 1 મે નક્કી કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે BCCI એપ્રિલના અંતિમ સપ્તાહમાં વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી શકે છે. તે જ સમયે 25 મે પહેલા, ટૂર્નામેન્ટમાં ભાગ લેનારી તમામ ટીમોને તેમની ટીમમાં માત્ર એક ફેરફાર કરવાની મંજૂરી આપવામાં આવશે.

હવે આઈસ્ક્રીમ, કેક અને ચોકલેટના ભાવમાં પણ આવશે તોતિંગ વધારો, જાણો કેટલા પૈસા વધારે ખર્ચવા પડશે

વર્ષોની પોલ ખૂલી ગઈ! આ 69 વર્ષની સુંદરીને કારણે સલમાન ખાન હજુ પણ કુંવારો છે, ખુદ અભિનેત્રીએ કર્યો ઘટસ્ફોટ

સોનું 1,397 રૂપિયાના ઉછાળા સાથે નવી ટોચે પહોંચ્યું, જ્વેલરી ખરીદનારાને જોઈને જ સંતોષ માનવો પડશે

હાલમાં પસંદગીકારો આઈપીએલમાં ખેલાડીઓના પ્રદર્શન પર ચાંપતી નજર રાખી રહ્યા છે. પસંદગીકારો IPL 2024 માં ખેલાડીઓના પ્રદર્શન પર નજર રાખી રહ્યા છે, તેથી તે જોવાનું રસપ્રદ રહેશે કે અજીત અગરકર સહિત અન્ય પસંદગીકારો આ સલાહનું પાલન કરે છે કે નહીં.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly