જો તમારી સમકક્ષ કામ કરવાવાળા જો કોઈ સરસ અચિવમેન્ટ કરે છે, અને એ સફળતા પ્રાપ્ત કરે છે અને તમે એની ખુશીમાં નિખાલસ જોડાઈ શકો છો તો તમે સફળ વ્યક્તિથી ઉંચા લેવલની સફળતા તરફ આગળ વધી રહ્યાં છો એ સત્ય છે.
એનું કારણ એ છે કે જો તમને કોઈની સફળતા પર નિખાલસ ખુશી થવાની જગ્યાએ એની ઈર્ષા થાય છે તો યાદ રાખજો તમે કોઈ ગોલ વગર દીવસો પસાર કરી રહ્યા છો. અથવા તો તમે એમ માનો છો કે તમે એ સફળ વ્યક્તિ જેટલી કાબેલિયત ધરાવતા નથી. ત્યારે જ તમારા મનમાં ઈર્ષાના ભાવ ઉત્પન્ન થાય છે.
જો તમે એ સફળ વ્યક્તિ જેટલી જ મહેનત કરી રહ્યાં છો તો તમે એ વાત કલ્પી શકો છો કે સફળ થવા માટે એ વ્યક્તિ એ શું ગુમાવ્યું હશે! કેવો ભોગ આપ્યો હશે!. એટલે જ તમને એની સફળતા પાછળ તાળી પાડવાનું મન થાય છે. તમે મનથી અને દિલથી એ સફળ વ્યક્તિનું અભિવાદન કરી રહ્યાં છો અને એને વારંવાર વધાવી રહ્યાં છો.
હરીફાઈમાં ઉતરીને કોઇનું આંધળું અનુકરણ કરવા કરતાં તમે ગઈકાલે શું હતા અને આજે ગઈકાલે કરતા કેટલા સફળ થયા એનો હીસાબ રાખજો તો તમે પણ એક દીવસ ‘મુકદ્દર કા સિકંદર’ બનીને રહેશો.
આજના સમયમાં હરીફાઈ નકામી છે. બધા માણસો એક જ છે. કાર્ય ક્ષમતા કાર્ય કરતા રહેવાથી ડેવલપ થાય છે. આજકાલ બધાની મહેનત પણ સરખા જેવી છે પણ…. બધા વચ્ચે ફરક છે માત્ર…
‘સંજોગો’ અને ‘વિચારધારા’નો……
ઉપરથી આ વિષયમાં મનોશાસ્ત્ર એવું અર્થઘટન કરે છે કે આવી રીતે ઈર્ષા અને હરીફાઈ કરીને તમે જાતે જ તમારા ટાર્ગેટની(તમારા હરીફે કરેલા એચીવમેન્ટ જેટલી) મર્યાદારેખા બનાવી દો છો.
જય ભારત
“વિકટ શેઠ”-(૮૮૬૬૫૨૫૮૭૩)