ગઈ કાલે મોરબીમાં પુલ તૂટવાની દુર્ઘટનાથી અરેરાટી મચી હતી. આ ઘટનામા 400થી 500 જણા પાણીમાં પડ્યા હતા અને અત્યાર સુધીમા 60 લોકોના મોતના સમાચારની પૃષ્ટી થઈ છે. જો કે અહેવાલો પ્રમાણે આ આંકડો વધારે છે. કહેવામા આવી રહ્યુ છ કે 140થી વધુના મૃત્યુ થયુ છે. આ સિવાય અનેક લોકો ગંભીર રીતે ઘાયલ છે.
આ દુર્ઘટના બાદ રેસ્ક્યૂની કામગીરી હાથ ધરાઈ હતી. મળતી માહિતી મુજબ ઘટનાની જાણ થતા જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઘટનાસ્થળે બચાવ અભિયાનની સમીક્ષા કરવા આવી પહોચ્યા હતા. હાલ NDRF અને સેનાના જવાનો, એરફોર્સ અને નેવીની ટીમ રેસ્ક્યૂની કામગીરી કરી રહી છે અને મોતનો આંકડો હજુ પણ વધે તેવી શકયતા છે.
આ દુર્ઘટનાની તપાસ માટે હવે 5 સભ્યોની કમિટીની રચના કરવામા આવી છે જેમા રાજકુમાર બેનીવાલ ( IAS મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન કમિશનર), કે.એમ.પટેલ, ચીફ એન્જિનિયર ક્વોલિટી કંટ્રોલ (આર એન્ડ બી વિભાગ, ગાંધીનગર), ડૉ. ગોપાલ ટાંક ( એચઓડી સ્ટ્રક્ચરલ એન્જી, એલડી એન્જિનિયરિંગ કૉલેજ, અમદાવાદ), સંદીપ વસાવા(સચિવ માર્ગ અને મકાન), સુભાષ ત્રિવેદી ( આઈ.જી- સી.આઈ.ડી ક્રાઈમ)ના નામો સામેલ છે.