કરૂણતાની પેલે પારનો કિસ્સો, સંતરામપુરમાં બે સગા ભાઈઓની એકસાથે અર્થી ઉઠી, એસટી બસ અને બાઈકના અકસ્માતે પરિવાર વીંખ્યો

Lok Patrika
By Lok Patrika
Share this Article

ગુજરાતમાં અકસ્માતની ઘટનાઓ દરરોજ બનતી રહે છે ત્યારે મહિસાગર જિલ્લામાં એક કમકમાટી ભરી અકસ્માતની ઘટના બની હતી. અહીં સંતરામપુર પાસે ગુજરાત સરકાર પરિવહન નિગમની એસટી બસ અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અરેરાટી ભરેલા આ અકસ્માતમાં બે સગા ભાઈઓ અને એક યુવક સહિત કુલ ત્રણના મોત નીપજ્યા હતા. ઘટનાના પગલે સમગ્ર પંથકમાં હડકંપ મચી ગયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને સ્થિતિ સંભાઈને આગળની કાર્યવાહી હાથધરી હતી.

ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના હીરાપુર ગામ પાસે બાઈક ઉપર ત્રણ યુવકો પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન એસટી બસ પણ ત્યાંથી પસાર થતાં બંને વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેના પગલે સંતરામપુર તાલુકાના વાજિયાકોટના ડેમલી ફળિયામાં રહેતા ૨૦ વર્ષીય અજય લાલસિંહ ખરાડી અને ૨૭ વર્ષીય જયદીપ લાલસિંગ ખરાડી જે સગા ભાઈઓ છે અને અન્ય ૨૫ વર્ષીય વિકાસભાઈ સોમાભાઈ ખરાડીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

વાજિયાકોટના ડેમલી ફળિયામાં રહેતા ત્રણે યુવકો આજે રવિવારે પોતાના ઘરેથી બાઈક ઉપર હીરાપુર ગામ તરફ જતાં હતા. તે સમયે હીરાપુર ગામ પાસે ઝાલોદ-અમદાવાદ એસટીબસ કાળ બનીને સામે ભટકાઈ હતી. જેમાં બસની આગળના ભાગે બાઈક ઘૂસી ગયું હતું. અને ત્રણે યુવકના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. માનવામાં આવી રહ્યું છે કે એસટીબસ સાથે ૧૦૦ મિટર સુધી મૃતદેહો ઢસડાયા હતા.

એસટીબસ અને બાઈક વચ્ચે થયેલા અકસ્માતમાં બે સગાભાઈ સહિત ત્રણ યુવકોના મોત થતાં ત્રણે યુવકોના પરિવારજનો ઉપર આભ તૂટી પડ્યું હતું. ઘટનાને પગલે આજુબાજુથી ગામ લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ સંતરામપુર પોલીસ દોડી ગઇ હતી અને આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. સંતરામપુર પાસે ગમખ્વાર અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકોના ટોંળા એકઠાં થયા હતા. સ્થળ ઉપર ત્રણે યુવકોના મૃતદેહો ક્ષતિગ્રસ્ત રીતે પડેલા હતા. રોડ ઉપર ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. જાેકે, સ્થાનિક પોલીસ સ્થળ ઉપર આવીને ઘટનાને કાબુમાં લીધી હતી.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly