હાલમાં ઉત્તરાખંડથી એક ખુબ જ દુખદ સમાચાર સામે આવી રહ્યાં છે કે ત્યાં ગુજરાતીઓ યાત્રાળુઓની એક બસ સાથે ગંભીર અકસ્માત થયો છે. વિગતો મળી રહી છે કે દિલ્હીથી યમુનોત્રી જઈ રહેલી બસમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જે બસમાં આગ લાગી હતી તેમાં 28 લોકો સવાર હતા. આ તમામ મુસાફરો ગુજરાતી હોવાનું કહેવાય છે. ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર બ્રિગેડ દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવવા કવાયત હાથ ધરી હતી.
હાલમાં કહેવામાં આવી રહ્યું છે કે આ તમામ મુસાફરો ગુજરાતી હોવાનું કહેવાય છે. ઘટનાને પગલે ફાયર બ્રિગેડની ટીમ દોડી આવી હતી અને બસમાંથી તમામ મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા છે. આ બસમાં મોટાભાગના મુસાફરો ગુજરાતના અમદાવાદના હતા. તેઓ દિલ્હીથી યમુનોત્રી જઈ રહ્યા હતા. તે દરમિયાન આ દુર્ઘટના બની હતી. આગમાં બસ સંપૂર્ણ બળીને ખાખ થઇ થઇ ગઇ હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે.
શનિવારે બપોરે વિકાસ નગરના કટાપથર પુલ પાસે બસમાં અચાનક શોર્ટ સર્કિટ થતાં આગ ફાટી નીકળી હતી. બસમાંથી ધુમાડો નીકળતો જોઈને મુસાફરોએ બસ રોકી હતી અને બધાએ બસમાંથી બહાર નીકળી પોતાનો જીવ બચાવ્યો હતો. બસ બળી ગઈ હતી. સ્થાનિક લોકોએ ફાયર વિભાગ અને ડાકપથર પોલીસને જાણ કરી હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનોએ બસમાં લાગેલી આગને કાબુમાં લીધી હતી. પરંતુ બસમાં રાખેલ મુસાફરોનો તમામ સામાન બળીને રાખ થઈ ગયો હતો.
તો વળી એક સારા સમાચાર એ પણ છે કે બસમાંથી 28 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી બાજુ, તંત્ર અને પોલીસ દ્વારા અટવાયેલા મુસાફરો માટે બીજી બસની વ્યવસ્થા કરવામાં આવી છે અને તેમને બીજી બસ દ્વારા રવાના કરવામાં આવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર, આ બસ દિલ્હીથી યમુનોત્રી જઇ રહી હતી. સાથે જ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કરાયો હતો અને તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બસમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.