PM મોદીએ પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવનો શાસ્ત્રોક્તવિધિ સાથે કર્યો પ્રારંભ, અહીં જુઓ મહોત્સવનું સીધું જ લાઈવ પ્રસારણ

Lok Patrika
By Lok Patrika
Share this Article

વડાપ્રધાન નરેન્દ્ર મોદી BAPS આયોજિત પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવના ઉદઘાટન પ્રસંગે અમદાવાદની મુલાકાતે આવી પહોંચ્યા હતા. વડાપ્રધાનના અમદાવાદ ખાતે આગમન વેળાએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટિલ, પ્રોટોકોલ રાજ્યમંત્રી જગદિશ વિશ્વકર્મા અને અમદાવાદના મેયર કિરીટભાઇ તેમનું સ્વાગત કરવા ગયા હતા. હાલમાં શહેરમાંથી હરિભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે. તેની સાથે સાથે નવા ચૂંટાયેલા ધારાસભ્યો પણ આવી પહોંચ્યા છે. જેમાં હાર્દિક પટેલ અને અમિત ઠાકરનો સમાવેશ થાય છે. પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવનો શાસ્ત્રોક્તવિધિથી પ્રારંભ કરાવી દીધો છે. નરેન્દ્ર મોદીએ પૂજા-અર્ચના કરી હતી.

અહીં જુઓ લાઈવ વીડિયો…

 

 

 

આ ઉપરાંત તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના જેઠાલાલ એટલે કે દિલીપ જોશી પણ આવી ગયા છે. પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં પીએમ મોદીની સભામાં 1 લાખથી વધુ લોકોનું આગમન થઇ ગયું છે. આ સાથે જ વાત કરીએ તો ભાજપના હાલમાં જ જીતેસા ધારાસભ્યો પણ આવી પહોંચ્યા છે.

જેમાં હાર્દિક પટેલ, જીતુ વાઘાણી, અમદાવાદના મેયર કિરીટ પરમાર, અમિત પી. શાહ, કૌશિક જૈન, પંકજ દેસાઈ અને અમિત ઠાકરનો સમાવેશ થાય છે. તેમજ પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પૂર્વ સાંસદ રતિલાલ વર્મા, પૂર્વ મંત્રી રજની પટેલ પણ સ્થળ પર આવી ગયા છે.

સ્વામિનારાયણની BAPS સંસ્થાના સંત પ્રમુખસ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ આવતીકાલથી શરૂ થશે, જે 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી ચાલશે. પરંતુ આની શરૂઆત આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવાની છે. વડાપ્રધાન સાંજે 5 વાગ્યે શતાબ્દી મહોત્સવના ઉદ્ઘાટન માટે અમદાવાદ પહોંચશે. અમદાવાદના રીંગ રોડ પર 600 એકર જમીનમાં વિશાળ સ્વામિનારાયણ નગર બનાવવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે અહીં મહેમાનોનું સ્વાગત મહત સ્વામી, સંતો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રી તરીકેના શપથ લેનારા તમામ મંત્રીઓ અને દેશ-વિદેશથી અહીં પધારેલા હજારો હરિભક્તો શાસ્ત્રોક્ત પધ્ધતિ અને પૂજા-અર્ચના દ્વારા અહીં સ્વાગત કરશે. શતાબ્દી મહોત્સવમાં ભાગ લેવા માટે સ્વામિનારાયણ સંપ્રદાય સાથે સંકળાયેલા લગભગ 50 લાખ લોકો વિદેશમાંથી અને ભારતના ખૂણે-ખૂણેથી એક મહિના સુધી આવશે. અમદાવાદની તમામ હોટેલોમાંથી 90% આ ફેસ્ટિવલ માટે બુક થઈ ગઈ છે.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly