ગુજરાતમાં રાજકીય ઘમસાણો વચ્ચે હવે એક નવા જ સમાચાર સામે આવી રહ્યા છે કે કોંગ્રેસ અને NCP વચ્ચે ગઠબંધન થયું છે. હાલમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. વિધાનસભા ચૂંટણી જીતવા માટે ત્રણેય રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર-પ્રસારથી લઈ તમામ તૈયારીઓ કરી રહ્યાં છે.
હાલમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી કોઈપણ હોય તો એ ચૂંટણી જીત માટે રાજકીય બેઠકોનો દાવપેચ શરૂ કરી દીધો છે. જેમાં કોંગ્રેસે ગતરોજ 46 ઉમેદવારોની બીજી યાદી પણ જાહેર કરી દીધી છે. ભાજપે પણ 160 ઉમેદવારો જાહેર કરી દીધા છે. ત્યારે હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ અને NCP વચ્ચે ગઠબંધન થયું છે. જગદીશ ઠાકોર અને જયંત બોસ્કી વચ્ચેની બેઠક સફળ સાબિત થઈ છે.
https://www.facebook.com/INCGujarat/videos/2095605730644450/?t=0
આ સમાચાર અંગે વાત કરતાં પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું કે, આગામી વિધાનસભાની ચૂંટણીમાં ત્રણ સીટો પર અમે એનસીપી સાથે ગઠબંધન કર્યું છે. ઉમરેઠ, નરોડા અને દેવગઢ બારીયા આ ત્રણ સીટો પર અમારું ગઠબંધન છે. કોંગ્રેસ આ ત્રણેય બેઠકો પર NCPની સાથે મળીને ચૂંટણી લડશે. તો વળી કુતિયાણામાં NCP પોતાના ઉમેદવાર નહીં ઉભા રાખે. NCP કુતિયામામાં કાંધલ જાડેજાને મેન્ડેટ આપશે નહીં. જેથી કાંધલ જાડેજા અપક્ષ ચૂંટણી લડશે.