આપણે સૌ જાણીએ છીએ કે ભાદરવી પૂનમમાં પાવન પર્વે મા અંબાના દર્શન કરવાનું અનેરું માહત્મ્ય હોય છે.
ત્યારે અંબાજી પગપાળા જઇ રહેલા પદયાત્રીઓને ગમખ્વાર અકસ્માત નડ્યો છે. હિટ એન્ડ રનની ઘટનાઓ ગુજરાતમાં દિવસે ને દિવસે વધી રહી છે.
ત્યારે હાલમાં જ એક ઘટના સામે આવી રહી છે અને અંબાજીના દર્શને જતાં પદયાત્રીઓ આ અકસ્માતા ભોગ બન્યા છે.
ગુજરાતમાં એક ઝડપી કારે 12 રાહદારીઓને કચડી નાખ્યા. જેમાં છ લોકોના મોત નીપજ્યા છે અને અન્ય છ લોકો ગંભીર ઇજાગ્રસ્ત છે.
મહારાષ્ટ્ર પાસિંગની કારે આજે વહેલી સવારે માલપુરના કુષ્ણાપુર પાસે રસ્તા પર ચાલતા પદયાત્રીઓને કચડ્યા છે.
આ ગોઝારા અકસ્માતમાં પાંચ પદયાત્રી અને એક સ્થાનિક વ્યક્તિનું મૃત્યું નીપજ્યું છે.
ઇજાગ્રસ્તોને માલપુર સીએસસી સેન્ટર ખાતે સારવાર માટે લઇ જવામાં આવ્યા છે. તમામ પદયાત્રીઓ પંચમહાલ કાલોલના અલાલી ગામના વતની હોવાનું સામે આવી રહ્યુ છે.
આ મુસાફરોમાં મોટાભાગના પંચમહાલ જિલ્લાના કાલોલના રહેવાસી હતા અને અંબાજી દર્શન માટે પગપાળા જઈ રહ્યા હતા.
ઘટનાની જાણ થતાં જ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘાયલ મુસાફરોને હોસ્પિટલ પહોંચાડી હતી.
ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરતા વાત કરી હતી કે, અરવલ્લી જિલ્લાના માલપુર નજીક અંબાજી દર્શને જઈ રહેલા પદયાત્રીઓને નડેલ અકસ્માતની ઘટના અત્યંત દુઃખદ છે.
અકસ્માતમાં જાન ગુમાવનાર યાત્રિકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું.
રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂ. ૪ લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. 50,000ની સહાય આપશે.
કારની હાલત જોઈને જ અકસ્માતની ગંભીરતાનો અંદાજ લગાવી શકાય છે. કારની આગળની બોડી સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ છે. ગુજરાતનું અંબાજી મંદિર શક્તિ, ભક્તિ અને આસ્થાનો સંગમ કહેવાય છે.
આ મંદિરમાં દેશ-વિદેશમાંથી લાખો ભક્તો માતાજીના દર્શન માટે આવે છે. ત્યારે હવે આ અકસ્માતની તસવીરો સામે આવી રહી છે જે જોઈને તમારી આંતરડી કકળી ઉઠશે એવી હાલત છે.
કારણ કે ક્યાંક લોહી લુહાણ હાલતમાં મૃતહેદો તો ક્યાંક તરફડિયા મારતી લાશો પણ જોવા મળી રહી છે. બાળકો અને માતાઓ રડી રહ્યા છે. કોઈએ ભાઈ તો કોઈએ પતિ ગુમાવવાનો વારો આવ્યો છે.