રાજ્યમાં હાલ ફરી એકવાર પારો નીચે ગયો છે. કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. આ ઠંડા પવનનુ કારણ પાકિસ્તાનમાં સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને માનવામા આવી રહ્યુ છે. આ વચ્ચે અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે આવનારા પાંચ દિવસમાં રાજ્યમાં કાતિલ ઠંડીનો અનુભવ થશે. હિમાલય તરફથી ફૂંકાતા ઠંડા પવનોને કારણે ઠંડીનો ચમકારો થશે.
આવનારા પાંચ દિવસમાં રાજ્યમાં કાતિલ ઠંડીનો અનુભવ થશે
આ સાથે અંબાલાલ પટેલે માહિતી આપી છે કે 14 અને 15 જાન્યુઆરીએ તાપમાન 9-10 ડિગ્રી રહી શકે છે. રાજ્યના અલગ અલગ શહેરોની વાત કરીએ તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ તાપમાન 9 ડિગ્રી આસપાસ રહેશે. હાલ અમદાવાદમાં 13.01 ડિગ્રી, ગાંધીનગર 12.02 ડિગ્રી, ભુજમા 8 ડિગ્રી, રાજકોટમા 14.05 ડીગ્રી, વડોદરામા 15.08 ડિગ્રી, સુરતમા 16.03 ડિગ્રી, ભાવનગરમા 16 ડિગ્રી અને સૌથી ઓછૂ તાપમાન નલિયામા 8.02 ડિગ્રી નોંધાયું છે.
કાર્તિક આર્યને પરેશ રાવલને એક જોરદાર લાફો ઝીંકી દીધો, જોનારા બધાના હોશ ઉડી ગયા
ઠંડીમાં લોકોએ સાવચેતી રાખવાની જરૂર
હૃદયરોગ સંસ્થાના ડાયરેક્ટર વિનાયક ડો.ક્રિષ્ના કહે છે કે આવી ઠંડીમાં લોકોએ સાવચેતી રાખવાની જરૂર છે. તમારી જાતને ગરમ વસ્ત્રોથી ઢાંકીને રાખો અને જરૂર પડે ત્યારે જ વૃદ્ધોને ઘરની બહાર કાઢો. હાર્ટના દર્દીઓએ ખાસ કાળજી લેવાની જરૂર છે. કાર્ડિયોલોજી મેનેજરના આંકડા મુજબ 1 જાન્યુઆરી, 2023 થી 8 જાન્યુઆરી સુધીમાં 108 દર્દીઓ હાર્ટ એટેકને કારણે મૃત્યુ પામ્યા હતા.
જાહેર કરાયેલા આંકડા અનુસાર, હોસ્પિટલમાં સારવાર દરમિયાન 51 દર્દીઓના મોત થયા હતા અને 57 દર્દીઓ હોસ્પિટલ પહોંચતા પહેલા જ મૃત હાલતમાં લાવવામાં આવ્યા હતા. કાનપુરની હાર્ટ ડિસીઝ ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર ડૉ. વિનય કૃષ્ણાએ કહ્યું કે સંસ્થાના ડૉક્ટર્સ અને સ્ટાફ સતત દર્દીઓની કાળજી અને સારવાર કરી રહ્યા છે. એટલા માટે પ્રયાસો કરવામાં આવ્યા છે અને હેલ્પલાઇન નંબર જારી કરવામાં આવ્યા છે જેથી કરીને જીવ બચાવી શકાય.