હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, માવઠાના મારથી છુટકારો મળે તો સારું છે. પરંતુ વારંવાર સિસ્ટમ બની રહી છે જેના કારણે કમોસમી વરસાદ થઈ રહ્યો છે. હજી પણ 22 માર્ચ સુધી માવઠું યથાવત રહેશે. પરંતુ 20 માર્ચથી માવઠામાંથી મોટા ભાગના વિસ્તારને છુટકારો મળશે અને ત્યાર બાદ ગરમીનું પ્રમાણ વધશે. ગરમીના કારણે ફરી વાતાવરણ પલટો આવશે. 26થી 28 માર્ચના ફરી સિસ્ટમ સક્રિય થશે. બંગાળના ઉપસાગરની અસર થશે અને અરબી સમુદ્રનો ભેજ ગુજરાત તરફ આવશે. જેના કારણે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત , સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં કમોસમી વરસાદ થશે. પરંતુ હવે જે માવઠું થશે તે હળવું રહશે.
અંબાલાલે આગળ વાત કરી કે માવઠું પછી માવઠું. આ ચાલુ જ રહેશે અને એપ્રિલના પહેલા સપ્તાહમાં વાતાવરણમાં પલટો આવશે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્રમાં માવઠાનો માર પડશે અને મેં મહિનામાં આંધીનું પ્રમાણ વધશે. 20 એપ્રિલ પછી ગરમી પડશે અને અમુક ભાગોમાં 45 ડિગ્રી તાપમાન પહોંચી જશે.
હાલમાં હવામાન એવું ગોથે ચડ્યું છે કે જેની કોઈ સીમા નથી, ખબર જ નથી પડતી કે ક્યારે વરસાદ આવશે અને ક્યારે ગરમી પડશે, જો કે ક્યારેક તો ઠંડી પણ પડી રહી છે. ગુજરાતમાં અમુક જગ્યાએ ઉનાળો છે, તો અમુક જગ્યાએ ધોધમાર પુર કાઢતો વરસાદ વરસી રહ્યો છે. તો અમુક જગ્યાએ હિમવર્ષા થઈ રહી છે. લોકો બિમાર પણ પડી રહ્યા છે. એવામાં હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની 9 મોટી આગાહી સામે આવતા લોકોમાં ચિંતા ઘેરી બની ગઈ છે. તો આવો જાણીએ આ 9 ઘાતક આગાહી વિશે..
1) 23થી 25 માર્ચ સુધી માવઠું લેશે 3 દિવસનો ઈન્ટરવલ
2) માર્ચના અંતમાં ફરી એક સિસ્ટમ સ્ક્રીય થશે’
3) માર્ચના અંતમાં ફરી રાજ્યના વાતાવરણમાં પલટો આવશે
4) 2થી 8 એપ્રિલ સુધી રાજ્યમાં માવઠાની અસર રહી શકે
5) અખાત્રીજના દિવસે હવામાનમાં પલટો આવી શકે
6) 8મી મેથી આંધી, વંટોળનો પ્રકોપ વધશે
7) આંધી, વંટોળથી બાગાયતી પાકોને નુકસાન થઈ શકે
8) 26 એપ્રિલ બાદ કેટલાક ભાગમા પારો 45 ડિગ્રીએ પહોંચશે
9) બનાસકાંઠામાં 26મી એપ્રિલ બાદ કાળઝાળ ગરમી પડી શકે