મોરબી જુલતો પુલ તૂટ્યો અને લોકો નદીમાં ખાબક્યા. આ જ ઘટનાની ગઈકાલથી ચારેકોર ચર્ચા કરવામાં આવી રહી છે. ત્યારે હવે આ ઘટનામાં મોટી માહિતી સામે આવી છે અને મોતનો આંકડો પણ હજુ વધી શકે એવું કહેવામાં આવી રહ્યું છે, તો સાથે સાથે CCTV ફુટેજ પણ સામે આવ્યા છે જેમાં જોઈ શકાય છે કે કેટલાક યુવાનો પુલને હલાવી રહ્યા છે અને ધક્કો મારી રહ્યા છે. પછી 3 સેકન્ડમાં જ પુલ તૂટી જાય છે અને ભારે ભીડને કારણે પુલ તૂટી પડ્યો હતો. આ ઘટનાને આંખે જોનારા લોકોએ કહ્યું કે કે જ્યારે પુલ તૂટી પડ્યો ત્યારે લોકો એકબીજાની ઉપર પડ્યા હતા. તે જ સમયે, એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે, હું મારા ઓફિસ સમય પછી મિત્રો સાથે નદી કિનારે આવ્યો હતો, જ્યારે અમને પુલ તૂટવાનો અવાજ સંભળાયો ત્યારે અમે ત્યાં પહોંચ્યા અને લોકોને બચાવવા માટે પાણીમાં કૂદી પડ્યા. સાક્ષીએ જણાવ્યું કે અમે કેટલાક બાળકો અને મહિલાઓને બચાવ્યા. અહીં જુઓ લાઈવ વીડિયો…
https://www.facebook.com/100004483999393/videos/666173161820324/
અમદાવાદમાં રહેતા વિજય ગોસ્વામી અને તેમના પરિવારનો જીવ બચી ગયો હતો. વાસ્તવમાં, ગોસ્વામી તેમના પરિવાર સાથે પુલ પર ગયા હતા પરંતુ અધવચ્ચે જ પાછા ફર્યા હતા. તે કહે છે કે કેટલાક યુવકોએ પુલને હલાવવાનું શરૂ કર્યું હતું, અમે તેનાથી ડરી ગયા હતા. કંઈક કડાકા જેવો સામાન્ય અવાજ આવ્યો અને ખિલખિલાટ અને કિલકારીઓ વચ્ચે અચાનક જ ચીસાચીસ થઈ ગઈ. કોઈ કંઈ સમજે એ પહેલાં તો 500થી વધુ લોકોને મોત દેખાયું અને ટપોટપ નદીમાં પડવા લાગ્યા. આ પુલ તૂટવાનું મુખ્ય કારણ ઓવરલોડ છે. 100 લોકોની કેપેસિટી હોય અને 500થી વધુ લોકો ચઢી જાય તો શું થાય? એવા પણ પ્રશ્નો થઈ રહ્યા છે.
ઘટનાની તપાસ માટે 5 સભ્યોની કમિટી
1) રાજકુમાર બેનીવાલ, IAS મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન કમિશનર
2) કે.એમ.પટેલ, ચીફ એન્જિનિયર ક્વોલિટી કંટ્રોલ, આર એન્ડ બી વિભાગ, ગાંધીનગર
3) ડૉ. ગોપાલ ટાંક, એચઓડી સ્ટ્રક્ચરલ એન્જી, એલડી એન્જિનિયરિંગ કૉલેજ, અમદાવાદ
4) સંદીપ વસાવા,સચિવ માર્ગ અને મકાન
5) સુભાષ ત્રિવેદી, આઈ.જી- સી.આઈ.ડી ક્રાઈમ