આજે IAS આલમના મોટા સમાચાર મળી રહ્યા છે. આખરે IAS અધિકારી કે. રાજેશ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ૪૮ કલાક CBIની કસ્ટડીમાં રહેતા આઈએએસ ઓફિસર કે. રાજેશ સસ્પેન્ડ થયા છે. આઈએએસ ઓફિસર કે. રાજેશ પર કલેક્ટર પદેથી વ્યાપક ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે. ભ્રષ્ટાચારના આરોપમાં કે. રાજેશની સીબીઆઈએ ધરપકડ કરી હતી, ત્યારબાદ તેમણે ગાંધીનગર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કે.રાજેશ સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર છે.
સીબીઆઇએ આઈએએસ ઓફિસર કે. રાજેશ સામે કાર્યવાહી કર્યા બાદ તેમને કોર્ટમાં રજૂ કરીને વધુ પૂછપરછ માટે રિમાન્ડની માગણી કરવામાં આવી હતી. કે. રાજેશના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે અને સોમવારે બપોરે ૩ વાગ્યા સુધીના રિમાન્ડ મળ્યા છે. હવે તેમને સરકારની મંજૂરી પછી સસ્પેન્ડ કરવામાં આવે તેવી સંભાવના હતી.
IAS ઓફિસર સામેના આરોપો
- કે રાજેશે કથિત રીતે લાંચ સ્વીકારી હતી
- શસ્ત્ર લાઇસન્સ ઈસ્યૂ કરવા માટે
- અયોગ્ય લાભાર્થીઓને સરકારી જમીન આપવા માટે
- ગેરકાયદેસર/અધિક્રમણવાળી જમીન ગેરકાયદેસર લાભાર્થીઓને નિયમિત કરવા માટે
- અન્ય લોકો સાથે મિલીભગતથી પોતાની સત્તાનો દુરુપયોગ કરીને વન વિભાગની મંજુરી વિના સૌર ઊર્જા ઉત્પાદન માટે આરક્ષિત જંગલની જમીન ભાડે આપી
કે રાજેશે ૨૭૧ જેટલા શસ્ત્ર લાયસન્સ ઈસ્યૂ કર્યા હતા, જેમાંથી ૩૯ જીઁ દ્વારા નકારાત્મક ભલામણો છતાં ઈસ્યૂ કરવામાં આવ્યા હતા, જે લાંચ ચૂકવવામાં આવી હોવાના ફરિયાદીઓના આક્ષેપો થયા છે.
તમને જણાવી દઈએ કે સીબીઆઈના દરોડાનો સામનો કરી રહેલા આઈએએસ અધિકારીઓ મૂળ આંધ્રપ્રદેશના છે. ગુજરાત કેડરમાં ૨૦૧૧ IAS અધિકારીઓ છે.
હાલમાં તેઓ સામાન્ય વહીવટ વિભાગના એનઆરઆઈ અને એઆરટી વિભાગના સંયુક્ત સચિવ છે. કે. રાજેશે પોંડિચેરી સેન્ટ્રલ યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સમાં કર્યું છે. સિવિલ સર્વિસ પરીક્ષા ૨૦૧૦ માં ૧૦૩ રેન્ક હાંસલ કર્યો. ૨૦૧૩માં જૂનાગઢમાં મદદનીશ કલેક્ટર તરીકે સેવા આપી. પછી સુરતમાં આસિસ્ટન્ટ કલેક્ટર, સુરતમાં જ જિલ્લા વિકાસ અધિકારી તરીકે કામ કર્યું. તેઓ સુરેન્દ્રનગર અને સૌરાષ્ટ્રના જિલ્લા કલેક્ટર રહી ચૂક્યા છે.