ગુજરાતમાં પણ હવે પંજાબવાળી! વાઢની ફૂલ સીઝન હોવા છતાં આર-પારની લડાઈ માટે ખેડૂતોના ગાંધીનગરમાં ધરણાં, આ વખતે પણ સરકારને ઝૂકવું જ પડશે!

Lok Patrika
By Lok Patrika
Share this Article

ગુજરાતમાં ખેડૂતો પ્રત્યે થતા અન્યાયને લઈ અવારનવાર અવાજો ઉઠતાં રહે છે. ત્યારે હવે ફરી એકવાર જગતનો તાત પોતાના ખેતર છોડીને ગાંધીનગરની વાટ પકડવા મજબૂર બન્યો છે. એક તો હાલમાં વાઢની સીઝન ચાલી રહી છે તેમ થતાં પોતાના હક માટે લડવા માટે જવું પડી રહ્યું છે. જ્યાં એક તરફ ખેડૂતોએ પોતાની જમીન બચાવવા ભારતમાલા પ્રોજેક્ટના વિરોધમાં ગાંધીનગરની સડકો ખૂંદી રહ્યા છે તો બીજી તરફ હવે બીજ ઉત્પાદન કરતા ખેડૂતો પોષણક્ષણ ભાવને લઈને તંત્રની નીતિઓનું બેસણું પણ યોજતા જોવા મળી રહ્યા છે.

જો કે એક વાત ચોક્કસ કહેવી રહી કે આ બન્ને ઘટનામાં સામ્યતા એ છે કે, બન્નેમાં મુખ્ય પાત્ર જગતનો તાત છે અને ધરતી અને બીજ બન્ને મુદ્દે તેની નારાજગી દેખાઈ રહી છે. જેના કારણે તે આજે રસ્તા પર જોવા મળી રહ્યો છે. ભારતમાલા પ્રોજેક્ટના વિરોધમાં હજુ પણ ખેડૂતોના ધરણા કેટલાય સમયથી યથાવત છે.

વિરોધની વાત કરીએ તો ગઈકાલે ખેડૂતોએ ભારતમાલા પ્રોજેક્ટના વિરોધમાં ગાંધીનગરના ચિલોડા ખાતે નેશનલ હાઇવે પર ધરણા કર્યા હતા. ખેડૂતોએ મોટી માત્રામાં એકઠાં થઈ સુત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોનું કહેવું છે કે, ભારતમાલા પ્રોજેક્ટમાં અનેક અમદાવાદ-થરાદ એક્સપ્રેસ વે ગામોની જમીનો કપાતમાં જાય છે. અમને એનો કોઈ વાંધો નથી પરંતુ મળવું જોઈએ એટલું વળતર અમને મળતું નથી. આથી ખેડૂતો પોતાની આજીવિકા સમાન જમીન ભારતમાલા હાઇવે પ્રોજેક્ટમાં આપવા તૈયાર નથી. ધરતી બચાવવા માટે ઝઝૂમી રહેલો ખેડૂત હજુ ઘરે જવાનું નામ નથી લઈ રહ્યો ત્યાં હવે બીજના વધતા ભાવે અન્ય ખેડૂતોને ગાંધીનગરની વાટ પકડવા મજબૂર કર્યા છે.

તો બીજી તરફ રાજ્યમાં ઘઉંનું બીજ ઉત્પાદન કરતાં ખેડૂતો બીજનિગમની કચેરીએ પહોંચ્યા હતા. કેમ કે એક તરફ ખેડૂતોને ઉત્પાદિત કરેલા બીજના પોષણક્ષમ ભાવ મળતાં નથી તો બીજી તરફ બીજ કંપનીએ ખેડૂતોને આપવાના બીજના ભાવમાં પ્રતિ કિલોએ 1 રૂપિયાનો વધારો કરી દીધો છે. આ વાતને લઈને પણ વિરોધમાં ખેડૂતોએ બીજ નિગમની ઓફિસે પહોંચીને બેસણાનો કાર્યક્રમ કરી સરકારની નીતિનો વિરોધ નોંધાવ્યો હતો. જો કે, અગાઉ કૃષિમંત્રીએ ખેડૂતોને પ્રતિ મણ ઘઉંના બીજનો ભાવ 535 રૂપિયા આપવાનો વાયદો કર્યો હતો. પરંતુ ખેડૂતોને 650 રૂપિયા ભાવ મળે તો જ પોસાય તેમ છે.

 


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly