અંબાજી: જગ વિખ્યાત યાત્રાધામ અંબાજીમા છેલ્લાં કેટલાંક સમયથી માથાભારે તત્વોનો ત્રાસ વધવા પામ્યો છે. આ ધામમા ઘણાં માથાભારે વેપારીઓ કરોડપતિ થવાની લાહ્યમા ઊંચા વ્યાજે નાણાં આપીને પઠાણી ઉઘરાણી કરી રહ્યા છે. જે અંબાજીના સામાન્ય લોકો માટે નુકશાનરૂપ છે. 23 જાન્યુઆરીના રોજ અંબાજી આઠ નંબર પ્રજાપતિ ધર્મશાળા પાસે જય અંબે ફ્લેટના ત્રીજા માળે ભાડે રહેતી મહિલાએ અંબાજીના માથાભારે વ્યાજખોરોના ત્રાસથી ઝેર પીને આત્મહત્યા કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
અંબાજી પોલીસ સ્ટેશનથી મળતી માહિતી પ્રમાણે અંબાજી આઠ નંબર વિસ્તારના ફ્લેટમા રહેતા રામભાઇ રાવળની પત્ની પોતાનાં પરિવાર સાથે રહેતા હતા. એક વર્ષ અગાઉ પોતાનાં પતિને હૃદયરોગનો હુમલો આવતા તેમને અંબાજીના 7 લોકો પાસે 30 ટકા ઊંચા વ્યાજે નાણાં લીધા હતા. ત્યારબાદ અંબાજીના માથાભારે 7 લોકો અવારનવાર મૃતક મહિલાને ઘરે જઈને ધમકીઓ આપતાં હતા. આ બાબત લાગી આવતાં મૃતક મહિલા સવિતાબેનએ અંબાજીમાંથી ઝેરની બોટલ લાવી હતી. 23 જાન્યુઆરીના રોજ વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને ઝેર પીને આત્મહત્યા કરી હતી. મૃતક મહિલાના પરીવારે અંબાજી સીવીલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ તબિયત વધુ લથડતાં તેમને પાલનપુર સારવાર માટે ખસેડવામાં આવી હતી જેમાં તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.
મૃતક મહિલાના પુત્રે પોલીસ ફરિયાદ નોંધાવી
અંબાજી આઠ નંબર વિસ્તારના ફ્લેટ મા રહેતા મૃતક સવિતાબેન એ આત્મહત્યા કરતા ખળભળાટ મચી જવા પામ્યો હતો અને જેમા મૃતક ના પુત્ર આશિષભાઈ રાવળે અંબાજીના 7 માથાભારે તત્વો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. મૃતક મહિલા એ આત્મહત્યા કરતા પહેલા ચિઠ્ઠી લખી હતી. અંબાજી પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
અંબાજીના માથાભારે વ્યાજખોરો
અંબાજી પોલીસ સ્ટેશન મા 7 માથાભારે વ્યાજખોરો સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવી છે અને અંબાજી પોલીસે સુંદર કામગીરી કરી રહી.
1.સુરેશભાઈ ચંદુભાઈ ઠાકોર
- લક્ષ્મી બેન ચંદુભાઈ ઠાકોર
3.શીતલબેન ચંદુભાઈ ઠાકોર - મિતભાઈ નરેશભાઈ માળી
5.તેજલબેન મીતભાઈ માળી
6.રાજુભાઇ ભાટિયા - મમતાબેન વણઝારા
અંબાજી પોલીસ વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરે
અંબાજી ખાતે 100થી વધુ માથાભારે તત્વો વ્યાજખોરોનો વ્યવસાય કરી રહ્યા છે. આ માથાભારે તત્વો ઊંચા વ્યાજે નાણાં આપીને પઠાણી ઉઘરાણી કરી રહ્યા છે. અંબાજી પોલીસ આવા તત્ત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરે તેવી માંગ ઉઠી છે.