ગુજરાત પોલીસ વિભાગ માટે એક મોટા અને સારા સમાચાર સામે આવ્યા છે. પોલીસ વિભાગ માટે ગુજરાત સરકાર સોમવારે મહત્વનો ર્નિણય લઈ શકે છે. સોમવારે સાંજ સુધીમાં પોલીસ વિભાગના નવા ગ્રેડ પેના જી.આર. જાહેર થવાની શક્યતા દેખાઈ રહી છે. સાથે આ જ મહિનાથી નવો પગાર વધારો અમલમાં આવશે. જી.આર.ને આખરી ઓપ આપવા માટે ગૃહ વિભાગની ઓફિસમાં પણ ધમધમાટ જાેવા મળી રહ્યો છે.
મહત્વનું છે કે, દિલ્હીના સીએમ કેજરીવાલે રક્ષાબંધન પહેલા એવી જાહેરાત કરી હતી કે, જાે ગુજરાતમાં તેમની સરકાર આવશે તો પોલીસ વિભાગને દેશનો સર્વ શ્રેષ્ઠ પગાર આપવામાં આવશે. જે બાદ ભાજપ સરકાર પણ દોડતી થઈ હતી અને ગ્રેડ પે વધારવાની જાહેરાત કરી હતી. પ્રાપ્ત રિપોર્ટ મુજબ, કેજરીવાલે જ્યારે ગુજરાત પોલીસ વિભાગને સર્વશ્રેષ્ઠ પગારની વાત કરી ત્યારે ગુજરાત સરકાર પણ દોડતી થઈ હતી.
જે બાદ વર્ષો જૂના પોલીસ વિભાગના ગ્રેડ પે મુદ્દે એક્ટિવ બની હતી. સરકારના હકારાત્મક વલણ બાદ પોલીસ વિભાગમાં પણ ખુશીનો માહોલ જાેવા મળ્યો હતો. ત્યારે સોમવારે સાંજ સુધીમાં પોલીસ વિભાગના ગ્રેડ પેના જી.આર. જાહેર થશે. સાથે જ આ મહિનાથી નવો પગાર વધારો અમલમાં આવશે. એટલું જ નહીં જી.આરને આખરી ઓપ આપવા માટે ગૃહ વિભાગમાં પણ ધમધમાટ જાેવા મળી રહ્યો છે.
લાંબા સમયગાળા બાદ પોલીસ વિભાગના વેતનમાં વધારો કરવામાં આવી રહ્યો હોવાથી વિભાગમાં ખુશીનો માહોલ જાેવા મળી રહ્યો છે. એવા પણ રિપોર્ટ સામે આવ્યા હતા કે આ મહિનાથી ગ્રેડ પેનો અમલ નહીં થાય. ત્યારે હાલ એવા રિપોર્ટ સામે આવ્યા છે કે, રાજ્યના ગૃહ વિભાગમાં હાલ ગ્રેડ પેના જી.આર.ને આખરી ઓપ આપવા માટે કામગીરી ચાલી રહી છે.
રાજ્ય સરકાર દ્વારા જ્યારથી આ ગ્રેડ પે મુદ્દે જાહેરાત કરવામાં આવી હતી ત્યારથી જ તેને અમલી ગણવામાં આવશે. સાથે જ ચાલુ મહિના પગારમાં પોલીસ વિભાગના કર્મચારીઓને નવા ગ્રેડ પે મુજબ વેતન આપવામાં આવશે. મહત્વનુ છે કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એવી વાત કહી હતી કે, જાે તેમની સરકાર આવશે તો ગુજરાતના પોલીસકર્મીઓને દેશમાં અપાતો શ્રેષ્ઠ પગાર આપવામાં આવશે.
જાે કે, આવું નિવેદન સામે આવ્યા બાદ ગુજરાતના પોલીસકર્મીઓને પોતાની તરફ આકર્ષવાનો પ્રયાસ કર્યો હતો. હવે કેજરીવાલના આ નિવેદન બાદ ભાજપ સરકાર પણ દોડતી થઈ હતી. પોલીસકર્મીના ગ્રેડ પે અને એલાઉન્સ મુદ્દે ગુજરાત સરકારે પણ સકારાત્મક વલણ દાખવ્યું હતુ. બીજી તરફ, રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પણ એવી વાત કરી છે કે, ટૂંક સમયમાં પોલીસકર્મીઓનો આ મામલો ઉકેલાઈ જશે.