ચૈતર વસાવા તો પોતાના ઘરે જ હતા, પોલીસ ચૈતરના ઘરે જ ન ગઈ: ગોપાલ ઇટાલિયા

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

ડેડીયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ એક મહિના અને દસ દિવસ ફરાર રહ્યા બાદ આજે પોલીસ સામે સરેન્ડર કર્યુ છે. વનકર્મી પર હુમલો કરવાના મામલે ચૈતર વસાવા આજે સરેન્ડર કરીને ડેડીયાપાડા પોલીસ સ્ટેશને હાજર થયા છે. ત્યારે ચૈતર વસાવાના વકીલ ગોપાલ ઇટાલિયાએ વધુ એક બ્લાસ્ટ કર્યો છે, તેમણે નિવેદન આપતા કહ્યું કે, ચૈતર વસાવા અત્યાર સુધી ઘરે જ હતા. ઉલ્લેખનીય છે કે, આ સમયે તેમની સાથે મોટી સંખ્યામાં સમર્થકો જોડાયા હતા. અને નારેબાજી શરુ કરી હતી તેમજ સમર્થકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયુ હતું.

ચૈતરભાઇ તો લોકના નેતા છે

 

આપના ધારાસભ્ય ચૈતર વસાવાના સરેન્ડર બાદ વકીલ ગોપાલ ઇટાલિયાએ મીડિયા સાથે વાત કરી હતી. જેમા અનેક સ્ફોટક નિવેદનો કર્યા છે. જેમા તેમણે જણાવ્યુ છે કે, વિધાનસભાની ચૂંટણીમાં ડેડીયાપાડાની જનતાએ ચૈતર વસાવાને એક લાખથી વધુ મત આપીને તાકાત બતાવી દીધી છે. ત્યારે આજે ચૈતર વસાવાને શક્તિ પ્રદર્શન કરવાની જરૂર નથી. ચૈતરભાઇ તો લોક નેતા છે. અત્રે, વન વિભાગે તેમના વિરુદ્ધ ફરીયાદ દાખલ કરી હતી, જેમાં વનવિભાગના કર્મચારીઓ તરફથી ફોરેસ્ટ વિસ્તારમાં ખેડૂતો દ્વારા દબાણ કરી ખેતી કરવામાં આવતા વનવિભાગે કાર્યવાહી કરી હતી અને ખેતી કાઢી નાંખી હતી, ત્યારે આ અંગે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓને ઘરે વાતચીત કરવા માટે બોલાવ્યા હતા.

દોઢ મહિનાથી ચૈતરભાઈ પોતાના ઘરે જ હતાઃ ગોપાલ ઇટાલિયા

મીડિયાએ જ્યારે ગોપાલ ઇટાલિયાને સવાલ કર્યો કે, ચૈતરભાઇ એક મહિના અને દસ દિવસથી ક્યાં હતા? જેના જવાબમાં તેમણે કહ્યુ કે, ચૈતરભાઇએ સ્પષ્ટ જણાવ્યુ છે કે, દોઢ મહિનાથી તેઓ પોતાના ઘરે જ હતા પણ કોઇ ત્યાં આવ્યું જ નહીં તો તેઓ શું કરે. આ સમગ્ર મામલામાં પોલીસે FIR દાખલ કર્યા બાદ તેમની પત્ની, PA અને એક અન્ય વ્યક્તિની ધરપકડ કરી હતી.

અત્રે મીડિયાના મિત્રઓએ જ્યારે ચૈતર વસાવાની પત્નીનું નિવેદન યાદ કરાવ્યુ કે, તેમના પત્નીએ કહ્યુ હતુ કે, તેમના ઘરે રોજ બે દિવસે પોલીસ આવતી હતી. જેના જવાબમાં ઇટાલિયાએ કહ્યુ કે, પોલીસ આવતી હશે, ગયા હશે ક્યાં સુધી ગયા જેની મને જાણ નથી પરંતુ ચૈતરભાઇનું કહેવું છે કે, તેઓ આટલા દિવસથી ઘરે જ હતા અને પોતાનું કામ કરતા હતા.

શું છે સમગ્ર મામલો?

ડેડીયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ હાલ ડેડીયાપાડા પોલીસ સામે સરેન્ડર કર્યુ છે. વનકર્મી પર હુમલો કરવાના મામલે ચૈતર વસાવા આજે સરેન્ડર કરીને ડેડીયાપાડા પોલીસ સ્ટેશને હાજર થયા છે. આ સમયે તેમની સાથે મોટી સંખ્યામાં સમર્થકો જોડાયા હતા. અને નારેબાજી શરુ કરી હતી તેમજ સમર્થકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયુ હતું. નર્મદા જિલ્લામાં વન વિભાગના કર્મચારીઓને માર મારવાનો કેસ નોંધાયો હતો અને તેઓ છેલ્લા એક મહિનાથી ભુગર્ભમાં હતા. આ કેસમાં ચૈતર વસાવાએ સેશન્સ કોર્ટ અને ત્યાર બાદ હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી, જેને બંને કોર્ટે ફગાવી દીધી હતી.

ચૈતર વસાવાએ ડેડીયાપાડા પોલીસ સામે કર્યુ સરેન્ડર, કહ્યું “આદિવાસીઓની લડત હું ચાલુ રાખીશ”

અ’વાદના ચાંદલોડિયામાં રોડ કપાતની કામગીરીમાં બેધારી નીતિ: કોર્પરેટરને પૈસા આપો તો પ્રોપર્ટી બચી જાય, ન આપો તો કપાઈ જાય!! 

અંબાલાલ પટેલની કરોડો ગુજરાતીઓ માટે ઘાતક આગાહી, આજથી 4 દિવસ કમોસમી વરસાદ આટલા જિલ્લાને ઘમરોળશે!!

વન વિભાગે તેમના વિરુદ્ધ ફરીયાદ દાખલ કરી હતી, જેમાં વનવિભાગના કર્મચારીઓ તરફથી ફોરેસ્ટ વિસ્તારમાં ખેડૂતો દ્વારા દબાણ કરી ખેતી કરવામાં આવતા વનવિભાગે કાર્યવાહી કરી હતી અને ખેતી કાઢી નાંખી હતી, ત્યારે આ અંગે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓને ઘરે વાતચીત કરવા માટે બોલાવ્યા હતા. પોલીસ સમક્ષ સરેન્ડર પહેલા ચૈતર વસાવાએ અનેક સૂચક નિવેદનો પણ આપ્યા છે. જેમા તેમણે જણાવ્યુ છે કે, મારા પર ખોટા કેસ કરવામાં આવ્યો છે. આ સાથે તેમણે એમ પણ જણાવ્યુ કે, આદિવાસીઓની લડત હું ચાલુ જ રાખીશ. નોંધનીય છે કે, ચૈતર વસાવા ડેડીયાપાડીના વનકર્મીને માર માર્યાના કેસ બાદ એક મહિનાથી ભૂગર્ભમાં હતા. તેમના આગોતરા જામીન પણ હાઇકોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવ્યા હતા.

 


Share this Article