ઘણા સમયથી રાજ્યમા શિક્ષકોની બદલીનો વિવાદ ચર્ચામા રહ્યો છે. હવે આ મામલે સરકાર દ્વારા એમ મોટો નિર્ણય સામે આવ્યો છે. સરાકારે પ્રાથમિક શાળાના શિક્ષકોની અટકી પડેલી બદલી પ્રક્રિયા અંગે કામ શરૂ કર્યુ છે. આ સિવાય નવી ભરતીને લઈને પણ સરકાર એકશનમા છે.
શિક્ષકોની બદલીના નિયમમાં ફેરફાર થાય તેવી સંભાવના
આ અંગે આગામી 1લી માર્ચે ગાંધીનગરમા બેઠક થશે જેમા શિક્ષકોની બદલીના નિયમમાં ફેરફાર થાય તેવી સંભાવના છે. આ પહેલા પ્રાથમિક શાળાના શિક્ષકોની બદલીના નવા ઘડાયેલા નિયમો સામે આવ્યા હતા.
હાલ 117 જેટલી પીટીશન પેન્ડિંગ
આ મામલો હાઈકોર્ટમા ગયો જેમા હાઈકોર્ટમાં જુદી-જુદી જોગવાઈઓમાં 250થી વધારે પીટીશન થઈ હતી. હાલ 117 જેટલી પીટીશન પેન્ડિંગ હોવાનુ સામે આવ્યુ છે. આ સાથે ગત 14મી ઓક્ટોબર 2022એ શિક્ષકોની બદલીને લઈને સુધારા ઠરાવ અંગે શિક્ષકોએ વાંધો ઉઠાવ્યો હતો જે બાદ આ ઠરાવમાં સુધારો લાવવા સરકારે કુલ 15 સભ્યોની કમિટી બનાવી છે જેમા શિક્ષણ વિભાગના સંયુક્ત સચિવ, ઉપસચિવ, સંયુક્ત શિક્ષણ નિયામક, નાયબ નિયામક, 7 ડીઈઓ-ડીપીઈઓ અને 4 ટીપીઈઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ ગત શુક્રવારે યોજાયેલી પ્રથમ બેઠક ગાંધીનગરમા હતી જેમાં સુજાવ આપવા કહેવાયુ હતુ. આ બાદ બીજી બેઠક ગાંધીનગરના GCERTની કચેરી ખાતે થશે જેમા સુધારા કરવા માટે લીગલ અભિપ્રાય જાણ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામા આવશે.