આમ આદમી પાર્ટી (AAP)ના નેતા અરવિંદ કેજરીવાલને ‘નમુનો’ ગણાવતા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમના પર અને તેમની પાર્ટી પર આતંકવાદ અને ભ્રષ્ટાચારને સમર્થન આપવાનો આરોપ લગાવ્યો. ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ શહેરમાં ભારતીય જનતા પાર્ટી (BJP) ઉમેદવારો માટેની ચૂંટણી રેલીને સંબોધતા, તેમણે મુખ્ય વિપક્ષ કોંગ્રેસ પર આરોપ લગાવ્યો કે તે તેની “મુસ્લિમ વોટ બેંક” ના કારણે અન્ય લોકોના ધર્મોનું સન્માન કરતી નથી.
યોગીએ કહ્યું, “આ દિવસોમાં ગુજરાતની મુલાકાતે આવનાર આમ આદમી પાર્ટી (AAP)નો એક ‘નમૂનો’ આતંકવાદનો સાચો શુભચિંતક છે. તેમણે અયોધ્યામાં રામ મંદિર નિર્માણનો પણ વિરોધ કર્યો હતો. જ્યારે ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ‘સર્જિકલ સ્ટ્રાઈક’ કરી ત્યારે તેઓએ આપણા બહાદુર સૈનિકો પાસેથી પુરાવા માગ્યા. પુરાવા માગતા રહ્યા. આતંકવાદ અને ભ્રષ્ટાચારને ટેકો આપવો તે તેમના જનીનોમાં છે.”
#WATCH | Gujarat: Modi govt has eradicated terrorism from the country and AAP's 'namoona' who has come from Delhi is a true benevolent of terrorism. He opposes Ram mandir in Ayodhya, he asks soldiers for proof of a strike in Pakistan: UP CM Yogi Adityanath in Gir Somnath (26.11) pic.twitter.com/pJf3UN6FxO
— ANI (@ANI) November 27, 2022
યોગીએ કહ્યું, શું તમે માનો છો કે કોંગ્રેસે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવી દીધી હશે? શું કોંગ્રેસ કે AAPએ રામ મંદિરના નિર્માણ માટે સંમતિ આપી હશે? તે (વડાપ્રધાન નરેન્દ્ર) મોદીજી, ભાજપ સરકાર અને ગુજરાત જ હતા જે તમારા મુશ્કેલ સમયમાં તમારી સાથે હતા. કોવિડ-19 રોગચાળા દરમિયાન તેઓએ તમને મફત સારવાર, રસી અને રાશન આપ્યું હતું. “માત્ર ભાજપ જ આ કરી શકે છે કારણ કે અમે ‘સબકા સાથ, સબકા વિકાસ’માં વિશ્વાસ કરીએ છીએ, એવું પણ તેમણે કહ્યું હતું.
યોગીએ આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસ અને દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ સોમનાથ મંદિરના પુનઃનિર્માણના સરદાર વલ્લભભાઈ પટેલના પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું, “તેની મુસ્લિમ વોટ બેંકને કારણે, કોંગ્રેસ ક્યારેય તમારા વિશ્વાસનું સન્માન કરવા માંગતી નથી. આ જ કારણ છે કે કોંગ્રેસ સોમનાથ મંદિરના પુનઃનિર્માણની વિરુદ્ધ હતી. તેમના પર યોગીજીએ આંબેડકરનું અપમાન કરવાનો અને તેમને ચૂંટણીમાં હરાવવાનો પ્રયાસ કરવાનો પણ આરોપ હતો.
યોગીની ટીકા પર પ્રતિક્રિયા આપતા કેજરીવાલે ટ્વીટર પર કહ્યું કે જો લોકોને નફરત, ગુંડાગીરી, ભ્રષ્ટાચાર અને ગંદી રાજનીતિ જોઈતી હોય તો ભાજપને મત આપવો જોઈએ. કેજરીવાલે કહ્યું, “અને જો તમને શાળા, હોસ્પિટલ, વીજળી, પાણીના કનેક્શન અને રસ્તા જોઈતા હોય તો તમારો મત મને આપો.”