BREAKING: ગુજરાત સરકારે વર્ગ-3ની ભરતીના નિયમોમાં કર્યા ફેરફાર, જાણો ભરતીના નવા નિયમ

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Gujarat News: ગુજરાત સરકારે વર્ગ-3ની ભરતી માટે લેવાતી પરીક્ષામાં મોટો નિર્ણય લીધો છે. ગુજરાત સરકારે સરકારી નોકરીની ભરતી પ્રક્રિયામાં થોડો ફેરફાર કર્યો છે. ગુજરાત સરકારે રાજ્યમાં વર્ગ-3 ની ભરતી માટે પરીક્ષાનું નવું માળખું જાહેર કર્યું છે. જે અંતર્ગત હવે જૂનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા એમસીક્યુ પદ્ધતિથી લેવાશે.

15મી ગુજરાત વિધાનસભાનું ચોથુ સત્ર 1 ફેબ્રુઆરીથી થશે શરૂ, 29 ફેબ્રુઆરી ચાલનાર સત્રમાં 26 બેઠકો પર થશે ચર્ચા

જમીનના મની લોન્ડરિંગ કેસમાં મોટું અપડેટ, EDની ચાર્જશીટમાં પહેલીવાર પ્રિયંકા ગાંધીનું નામ, જાણો સમગ્ર મામલો

વિશ્વમાં મોદીનો જલવો… પુતિને પીએમ મોદીને યુક્રેન યુદ્ધની આપી દરેક અપડેટ, રશિયાની મુલાકાત લેવા આપ્યું આમંત્રણ

જ્યારે હેડક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ સહિત વિવિધ 21 સંવર્ગની ભરતી માટે મુખ્ય લેખિત પરીક્ષા લેવાશે. સામાન્ય વહિવટ વિભાગ દ્વારા સત્તાવાર નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલાં વર્ગ-3ની ભરતી માટે માત્ર એક જ વાર પરીક્ષા લેવામાં આવતી હતી. અને પરીક્ષાનું પરીણામ જાહેર થતા જ સીધી ભરતી કરીને ઓર્ડર આપી દેવામાં આવતા હતાં. જોકે, હવે તેમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે.


Share this Article