Gujarat Weather Forecast : હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા રાજ્યમાં હવામાન કેવું રહેવાની છે તેની શક્યતાઓ વ્યક્ત કરી છે, જેમાં રાજ્યમાં ભારે વરસાદની કોઈ પણ ચેતવણી આપવામાં આવી નથી. આ સાથે રાજ્યના કેટલાક ભાગોમાં સામાન્યથી હળવો વરસાદ થવાની સંભાવનાઓ જણાવવામાં આવી છે. હવામાન વિભાગે (Meteorological Department) અમદાવાદ સહિત રાજ્યમાં હળવાથી સામાન્ય વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે જોકે, મોટાભાગે હળવો વરસાદ રહેવાની શક્યતાઓ છે. આ સાથે આગામી સમયમાં દક્ષિણ ગુજરાત સિવાયના ભાગોમાંથી વરસાદ ફરી ગાયબ થવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
રાજ્યના હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડિરેક્ટર ડૉ. મનોરમા મોહંતી (Dr. Manorama Mohanty) દ્વારા રાજ્યના હવામાન અંગેની સંભાવનાઓ વ્યક્ત કરીને બુધવારે માહિતી આપવામાં આવી હતી જેમાં મોટાભાગે હળવા વરસાદની શક્યતાઓ હોવાનું જણાવવામાં આવ્યું હતું. હવામાન કેન્દ્ર (Meteorological Center) દ્વારા આજના વરસાદ અંગે સંભાવનાઓ વ્યક્ત કરી છે, જેમાં ગુજરાત રિજન (સૌરાષ્ટ્ર-કચ્છ સિવાય) માં બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં હળવાથી સામાન્ય વરસાદની સંભવાના વ્યક્ત કરી છે.
આજના દિવસે સૌરાષ્ટ્ર-કચ્છના જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ હળવો કે ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. બુધવારે કરાયેલા આગાહી મુજબ 25મી ઓગસ્ટથી સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી નથી. આ દિવસે મોટાભાગે દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં હળવાથી સામાન્ય કે ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.
તારીખ 26, 27 અને 28 દરમિયાન રાજ્યના માત્ર દક્ષિણ ભાગમાં વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. જેમાં સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે. 29મી ઓગસ્ટના રોજ પણ રાજ્યના આ ભાગોમાં હળવાથી સામાન્ય વરસાદ રહેવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
જો PAN-આધાર લિંક નહીં હોય તો તમારો પગાર બેંક ખાતામાં જમા નહીં થાય! જલ્દી જાણી લો મહત્વપૂર્ણ માહિતી
આ અઠવાડિયામાં મેઘો ખાબકશે કે કેમ? ક્યાં કેવું વાતાવરણ રહેશે, જાણી લો નવી આગાહીમાં ચોંકાવનારી વાત
હવામાન વિભાગ દ્વારા 29મી ઓગસ્ટ સુધીના રાજ્યના હવામાન અંગે આગાહી કરવામાં આવી છે, જેમાં ભારે વરસાદની કોઈ ચેતવણી કે એલર્ટ આપવામાં આવ્યું નથી. આ સિવાય માછીમારો માટે પણ કોઈ ચેતવણી આપવામાં આવી નથી. દક્ષિણ ભાગમાં વરસાદનું કારણ જણાવતા હવામાન વિભાગે અહીં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને વરસાદી સિસ્ટમની અસર હોવાનું જણાવ્યું છે.