કઈ હદે દારુડિયાના કિસ્સા બનતા હશે કે કંકોત્રીમાં લખવું પડે કે દારુ પીને આવશો નહીં, રાજકોટનો અનોખો કિસ્સો ભારે ચર્ચામાં

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

રાજકોટથી લગ્ન કંકોત્રીનો એક ફોટો હાલ ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. આ કંકોત્રી તેના દેખાવને કારણે નહી પણ તેમા લખેલા એક વાકયનેને કારણે ચર્ચામા છે. રાજકોટના હડાળા ગામે થઈ રહેલા લગ્નની આ કંકોત્રી મનસુખભાઈ કેશવજી સીતાપરાના ઘરની છે.

આ કંકોત્રીમા લખ્યું છે કે, ‘મહેરબાની કરીને કોઈએ દારૂ પીને આવવું નહીં’. મનસુખભાઈ કોળી સમાજના છે અને તેમણે પોતાના સમજને કહ્યુ છે કે કોઈએ દારૂ પીને આવવું નહીં.

લગ્નમા દારૂ પીવાની અનેક ઘટનાઓ આ અંગાઉ શહેરમા સામે આવી ચૂકી છે. પ્રસંગમા દારૂ પીવાને હવે લોકો ટ્રેંડ તરીકે આગળ વધારી રહ્યા છે. આ વચ્ચે રાજકોટના આ કોળી પરિવારે એક અનોખી પહેલ હાથ્ધરી છે. કોળી પરિવારના મનસુખભાઈની દીકરીના લગ્નની આ કંકોત્રી છે. કાલે પુત્રીના લગ્ન કડવા પાટીદાર સમાજવાડીમાં રાખેલા છે.

નિચોવી નાખ્યાં: રોજની 82 લાખની ખોટ, 3,861 કરોડ રૂપિયાનું દેવું, AMTSને કંગાળ બનાવવામાં ખુદ ભાજપ અને AMCનો જ મોટો ફાળો

લગ્નમાં કરેલા કાંડ પછી ભાઈ વિરુદ્ધ કેસ નોંધાયો, હવે બાગેશ્વર બાબાએ આખરે તોડ્યું મૌન, કહ્યું- ‘જે જેવું કરશે એ એવું જ….’

શાબાશ ખજુરભાઈ: ગુજરાતમાં પ્રથમ વખત ગામડામાં જાહેર AC શૌચાલય ખૂલ્યું, સુવિધા જોઈ શહેરનો ચસ્કો ભાંગી જશે

આ વિશે વાત કરતા મનસુખભાઈએ કહ્યુ છે કે ‘વાયરલ કંકોત્રી મારી જ છે અને મારે સમાજ, ગામ સહિત પરિવારોને વ્યસનમુક્ત બનાવવા છે.’ એવા હેતુ સાથે લગ્નની કંકોત્રીમાં લખાણ લખવામાં આવ્યું છે.

 

 

 


Share this Article