Gujarat News : રાજસ્થાનના ભરતપુર (Bharatpur) જિલ્લામાં બુધવારે સવારે એક મોટો રોડ અકસ્માત (Road accident) થયો હતો. અહીં ટ્રક સાથે અથડાવાને કારણે બસમાં મુસાફરી કરી રહેલા 11 લોકોના મોત થયા છે. જ્યારે 20 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી.
મળતી માહિતી મુજબ મુસાફરોથી ભરેલી બસ ગુજરાતથી મથુરા (Gujarat to Mathura) તરફ જઈ રહી હતી. જયપુર-આગ્રા હાઈવે પર નાદબાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જયપુર આગ્રા નેશનલ હાઈવે પર હંતારા પુલ પર બસ તૂટી પડી હતી. ડ્રાઈવરે બસ ઊભી રાખી અને તેને ઠીક કરવાનો પ્રયાસ શરૂ કર્યો. ત્યારે પાછળથી આવતી ટ્રકે બસને ટક્કર મારી હતી.
ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા
પોલીસનું કહેવું છે કે આ અકસ્માતમાં 11 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. કેટલાક લોકો ઘાયલ થયા છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માત અંગેની માહિતી મેળવવામાં આવી રહી છે.
ખાલી ડુંગળી અને ટામેટા જ નહીં, આ વસ્તુના કારણે પણ તમારી થાળી થઈ મોંઘીદાટ, કોઈને ખબર પણ ના પડી બોલો
બસ ભાવનગરથી મથુરા જઈ રહી હતી.
આ બસ ગુજરાતના ભાવનગરથી જયપુર અને ભરતપુર થઈને ઉત્તર પ્રદેશના મથુરા જઈ રહી હતી, એમ પોલીસે જણાવ્યું હતું. આ અકસ્માત સવારે પાંચ વાગ્યે થયો હતો. મૃતકોમાં છ મહિલાઓ અને પાંચ પુરુષોનો સમાવેશ થાય છે. તમામ મુસાફરોને એમ્બ્યુલન્સ દ્વારા જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ 11 લોકોને મૃત જાહેર કર્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા 20 જેટલા લોકોની સારવાર ચાલી રહી છે.