ગુજરાતમાં લવ જેહાદનો મુદ્દો એક ગંભીર સમસ્યા બનીને ઉભો છે. ત્યારે નીતિન પટેલે લવ જેહાદ મુદ્દે આજે નિવેદન આપતા કહ્યું કે, ‘આજે જેહાદી લોકો હિન્દુ બેન-દીકરીઓની છેડતી કરી રહ્યા છે. હવે આ નીતિ પર સરકાર કડક થાય તો કહે કે તમે અમને ફલાણા કોમને હેરાન કરો છો. પરંતુ એ કોમવાળાને હું એમ કહું છું કે તમે આમ તો જાતજાતના ફતવા બહાર પાડો છો. તો એવો ફતવો કેમ બહાર નથી પાડતા કે કોઇએ હિન્દુની છોકરી સાથે લગ્ન ન કરવા.
નીતિન પટેલે આગળ વાત કરતાં કહ્યું કે એ લોકો આપણી છોકરીઓને લઇ જાય છે ત્યારે મારા બેટા ખાનગીમાં નિકાહ પઢાઇ દે છે. એ વખતે એને ગમે છે. કેમ ફતવો બહાર નથી પાડતા. પાડો મોટા-મોટા મૌલાનાઓ, મોટા-મોટા મુલ્લાઓ. પાડો ફતવો બહાર કે કોઇએ હિન્દુની દીકરી સાથે લગ્ન કરવા નહીં. આ રીતે નિવેદન આપતા હવે નીતિન પટેલનું આ નિવેદન પણ વાયરલ થઈ રહ્યું છે. એક તો ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે ચૂંટણી પહેલા કોઇને કોઇ રાજકીય મુદ્દાના કારણે ગુજરાતનું રાજકારણ ગરમાગરમ છે અને એવા જ સમયે લવ જેહાદ મુદ્દે નીતિન પટેલનું નિવેદન સામે આવતા ઘણી મહત્વની વાત કહી શકાય છે.