એક બટન દબાવશો અને રોડ ક્રોસ થઈ જશે, ગાંધીનગરમાં હવે અમેરિકા જેવી જ સુવિધા, ટ્રાફિક નિયમનો ભંગ કરશો તો પણ સમજો ગયા

Lok Patrika
By Lok Patrika
Share this Article

સ્માર્ટ સિટી ગાંધીનગરને વધારે સ્માર્ટ બનાવવાનો વધુ એક પ્રયાસ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે. જેમાં વિદેશોમાં જાેવા મળતી એક સુવિધા ઉમેરવામાં આવી છે. અહીં ચાલીને જતા રાહદારીઓ માટે ટ્રાફિકને અટકાવીને સુરક્ષિત રસ્તો ક્રોસ કરવા માટે સુવિધા ઉભી કરવામાં આવી છે. જેમાં ચ-૦ સર્કલથી ઈન્દિરા બ્રિજ સુધીના ૧૩ કિલોમીટર લાંબા માર્ગ પર પગપાળા જતા રાહદારીઓ માટે રોડ ક્રોસ કરવા માટે સુવિધા ઉભી કરવામાં આવી છે.

ગુજરાતના સૌથી અસુરક્ષિત માર્ગોમાંથી એક ગણાતા આ રૂટ પર પગપાળા જતા રાહદારીઓની સુરક્ષા માટે ૨૧ પેલિકન ક્રોસિંગ ઉભા કરવામાં આવ્યા છે કે જ્યાં કેસરી બોક્સ પર કાળા બટન હશે કે જ્યાંથી ચાલીને રોડ ક્રોસ કરવા ઈચ્છતા રાહદારીઓ આ બટન દબાવીને ટ્રાફિકને અટકાવી શકશે અને સુરક્ષિત રીતે રસ્તો ક્રોસ કરી શકશે. માર્ગ અને મકાન વિભાગના એક સિનિયર અધિકારીએ આ અંગે જણાવ્યું છે કે, ઈન્ટેલિજન્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ સીધી રીતે અનુકૂળ સિગ્નલ નિયંત્રણ સાથે જાેડાયેલી બાબત છે કે તેને પેલિકન તરીકે ઓળખવામાં આવે છે.

તેમણે આ અંગે વધુમાં જણાવ્યું છે કે, “જ્યારે કોઈ ચાલીને જતી વ્યક્તિ બટન દબાવે છે તો ટ્રાફિક સિગ્નનલની લાઈટ લાલ થઈ જાય છે. અહીં કેમેરા પણ લગાડવામાં આવ્યા છે કે જે વાહનોની ગતિ અને પગપાળા જતા રાહદારીઓની ગતિવિધિ પર નજર રાખે છે. આ સિવાય અકસ્માત અને સિગ્નના નિયમોનું પાલન ના કરતા વાહનોના નંબરોની પણ માહિતી રાખવામાં આવશે.” જાે વાહનચાલકો દ્વારા ટ્રાફિકના નિયમનો ભંગ કરાશે તો તે અંગે કમાન્ડ સેન્ટરને માહિતી મળશે.

આ અંગે અધિકારીએ વધુમાં જણાવ્યું કે, “નિયમોનો ભંગ કરનાર વાહનચાલકને ઓળખીને તેમને આગળના જંક્શન પોલીસ દ્વારા રોકવામાં આવશે.” આ પ્રોજેક્ટની ડેડલાઈન પાછલા વર્ષના ડિસેમ્બર મહિનાની હતી. જાેકે, હવે બાકી રહેલું કામ આગામી ૨૫ દિવસમાં પૂર્ણ કરવાની ડેડલાઈન રાખવામાં આવી છે. અધિકારીએ વધુમાં જણાવ્યું કે, બે સૌથી ખતરનાક ગણાતા માર્ગોમાંથી એક ગાંધીનગર-કોબાનો રૂટ છે, જ્યારે બીજાે ભરુચ-દેહગામમાં રૂટ છે.

અધિકારીએ ઉમેર્યું કે, “અમદાવાદથી ગાંધીનગર જતા લોકો આ રૂટ પર ૯૦ કિલોમીટરની ઝડપે વાહન ચલાવતા હોય છે. જેના કારણે ગંભીર અકસ્માત સર્જાતા હોય છે.” વધુમાં આ રૂટ પર નીલગાય અને અન્ય પ્રાણીઓ પર આવી જતા હોય છે. અકસ્માત રોકવા માટે આ રોડ પર કેમેરાના આર્ટિફિસિયલ ઈન્ટેલિજન્સ અલ્ગોરિધમ કામ કરશે અને તે જગંલી પ્રાણી આવશે તો તે અંગે એલર્ટ કરશે. તેમણે કહ્યું કે, “અહીં લગાવવામાં આવેલા ન્ઈડ્ઢ સાઈન બોર્ડ દ્વારા અહીંથી પસાર થતા રાહદારીઓને આગળ રોડ પર પ્રાણી હોવાની ચેતવણી આપશે.”


Share this Article
TAGGED: ,
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly