ગુજરાતની ચૂંટણી પહેલા એક દુખદ સમાચાર સામે આવી રહ્યા છે. ભાવનગરમાં કોંગ્રેસ ઉમેદવારને હાર્ટ એટેક આવ્યો છે. ભાવનગરની ગ્રામ્ય બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રેવતસિંહ ગોહિલને હાર્ટ એટેક આવતા પાર્ટી પણ ચિંતામા મુકાણી છે. જેના લીધે એકાએક તેમની તબિયત ખરાબ થતા હોસ્પિટલમાં દાખલ કર્યા છે. આ સાથે જ માહિતી સામે આવી છે કે એટેક આવતા નેતાજીએ સ્ટેન્ડ મૂકવું પડ્યું છે. ઉલ્લેખનીય છએ કે ભાવનગર ગ્રામ્ય બેઠક પર ભાજપ અને કોળી સમાજના કદાવર નેતા પરસોતમ સોલંકી સામે કોંગ્રેસે રેવતસિંહ ગોહિલને ટિકિટ આપવામાં આવી છે.
ભાવનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક પર ભાજપના દિગ્ગજ નેતા પરસોતમભાઈ સોલંકી કે જેઓ પાંચ ટર્મથી વિજેતા બની રહ્યાં છે તેમની સામે એક નવા જ ચહેરા તરીકે રેવતસિંહ ગોહિલને કોંગ્રેસે ઘોષિત કર્યા છે. રેવતસિંહ ગોહિલ વિશે વાત કરીએ તો તેઓ ક્ષત્રિય સમાજમાંથી આવે છે. ભાવનગર ગ્રામ્ય વિધાનસભા 103માં રેવતસિંહ ગોહિલનું નામ જાહેર કરવામાં આવ્યું છે. રેવતસિંહ ગોહિલ છેલ્લા 22 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે અને ગોહિલવાડ રાજપૂત સમાજના ઉપપ્રમુખ તરીકે પણ ફરજ નિભાવી રહ્યાં છે.
રાજકીય સમીકરણો વિશે વાત કરવામાં આવે તો ભાવનગર ગ્રામ્ય બેઠક છેલ્લાં 25 વર્ષથી ભાજપ પાસે છે છતાં અહીં વિકાસ ખૂબ ઓછો રહ્યો છે અને રોડ, પાણી, ગંદકી, એસ.ટી.બસની સુવિધા સહિતના અનેક પ્રશ્નથી લોકો ત્રાહિમામ છે. ત્યારે કોંગ્રેસને એક આશા હતી કે આ વખતે અમે ચૂંટણી જીતી જઈશું.