સુરતથી એક ખુબ જ દુખદ સમાચાર સામે આવી રહ્યા છે કે સુરતના વરાછા વિસ્તારમાં હીરાબાગ સર્કલ પાસે રાજધાની ટ્રાવેલ્સની બસમાં અચાનક જ આગ લાગી છે અને લોકો ભડકે બળ્યા છે. એકાએક આગ લાગવાની ઘટના સામે આવતા જ સમગ્ર રાજ્યમાં ચકચાર મચી ગઈ છે. સામે આવતી વિગતો અનુસાર આ ઘટનામાં એક મહિલા મુસાફર બળીને ભડથું થઈ ગઈ છે.
જો કે એક એવી વિગત પણ સામે આવી રહી છે કે ઘણા મુસાફરો દાઝી ગયા છે. હાલ દાઝેલા મુસાફરોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હોવાની પણ માહિતી મળી રહી છે. જ્યારે બસમાં આગ લાગતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ગુજરાતની ભાવના પ્રમાણે એકાએક લાગેલી આગને કારણે આસપાસના લોકો પણ મુસાફરોને બચાવવા માટે આવી પહોંચ્યા હતા.
જ્યારે બસમાં આગ લાગી ત્યારે કોઈને સમજમાં આવતું નહોતું કે શું કરવું એટલે મુસાફરોએ પણ પોતાના જીવ બચાવવા માટે આમતેમ ભાગ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ ફાયરવિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને આગ બુઝાવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. ફાયરવિભાગની મહેનતને કારણે થોડા સમયમાં જ આગ કાબૂમાં આવી હોવાનું પણ સામે આવ્યું છે.