ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે રાજકીય પક્ષોનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. આ ક્રમમાં, શનિવારે 26 નવેમ્બરના રોજ, આમ આદમી પાર્ટીના ગુજરાતના વડા ગોપાલ ઇટાલિયા સુરતમાં પ્રચાર કરી રહ્યા હતા ત્યારે તેમની જાહેર સભા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ AAPના ટ્વિટર હેન્ડલ પર આ ઘટનાની તસવીર શેર કરી અને આ ઘટના માટે ભાજપને જવાબદાર ઠેરવ્યું.
ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ ટ્વિટ કરીને લખ્યું કે, ગુજરાત અને MCD ગુમાવવાના ઉન્માદથી બીજેપીનું મગજ બગડી ગયું છે. સીએમ કેજરીવાલથી ડરીને ભાજપના ગુંડાઓ સામાન્ય લોકો પર પથ્થરમારો કરીને શું મેળવવા માંગે છે? તેમની સત્તાના થોડા દિવસો બાકી છે. જનતા તેમના દરેક કુકર્મનો પુરો હિસાબ આપશે.
पत्थरबाज़ BJP‼️
BJP के गुंडों ने @Gopal_Italia की सभा में पत्थरबाजी कर मासूम बच्चे को घायल कर दिया
2 दिन पहले ही BJP MP Manoj Tiwari ने धमकी दी थी- केजरीवाल जी पर हमला होगा और आज AAP की सभाओं में पत्थरबाजी शुरू
साफ़ है, गुजरात में परिवर्तन (AAP) की आंधी को नहीं रोक पा रही BJP pic.twitter.com/wnEHDNXK37
— AAP (@AamAadmiParty) November 26, 2022
આમ આદમી પાર્ટીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર લખીને બીજેપીને પથ્થરબાજ ગણાવ્યો હતો. તેણે લખ્યું, ગુંડાઓએ પથ્થરમારો કરીને એક બાળકને ઘાયલ કર્યો. બે દિવસ પહેલા મનોજ તિવારીએ ધમકી આપી હતી કે સીએમ કેજરીવાલ પર હુમલો કરવામાં આવશે અને આજે આમ આદમી પાર્ટીની જાહેર સભામાં હુમલો કરવામાં આવ્યો હતો. આગળ લખવામાં આવ્યું હતું કે, ગુજરાતમાં પરિવર્તનના વાવાઝોડાને ભાજપ રોકી શક્યું નથી તે સ્પષ્ટ છે. સાથે જ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે.