સ્વામીએ ખોડિયાર માતાજી પર નિવેદન આપતા આખા ગુજરાતમાં હલ્લાબોલ, રાજભા ગઢવીએ જોરદાર જવાબ આપી દીધો

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Gujarat News: સાળંગપુર મંદિરમાં હનુમાનજીના વિવાદિત ભીંતચિત્રો હટાવવાનો મુદ્દો માંડ શાંત થયો છે, ત્યાં સ્વામિનારાયણ સંપ્રદાયને લઈને હજુ પણ કેટલાક વિવાદ ચાલુ છે.સ્વામી બ્રહ્મ સ્વરૂપે ખોડિયાર માતાજીના વિવાદિત નિવેદનથી વધુ એક વિવાદ શરૂ થયો છે. જેના લીધે વિવિધ સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે.

ખોડિયાર માતાજીના વિવાદિત નિવેદન આપનાર સ્વામી બ્રહ્મસ્વરૂપના નિવેદન બાદ રાજભા ગઢવીનું નિવેદન સામે આવ્યું છે. લોક ડાયરામાં રાજભા ગઢવીએ સનાતનીઓને જાગવાની વાત કરી છે. તેમણે કહ્યું કે, કુળદેવી, સુરાપુરા અને ઇષ્ટદેવથી દૂર કરવાની વાત કરનારની બોચી પકડો. ક્યા સુધી આપણે સહન કરીશુ. માતાજીએ રાક્ષસોને હણ્યા છે હવે તમારો વારો છે ખોડિયાર માતા વિશે બોલનારાઓને અને કુળદેવીથી દૂર કરનારાઓને માતાજી નાશ કરશે.

હવામાન વિભાગની નવી આગાહીથી ખુશીનું મોજુ ફરી વળ્યુ, ગુજરાતના આટલા જિલ્લાઓ થશે જળબંબાકાર, જાણો ક્યાં કેટલો ખાબકશે

આખા મહિનાની તારીખ પ્રમાણે આગાહી કરીને અંબાલાલ પટેલે આખા ગુજરાતને ચોંકાવી દીધું, જાણો એક એક દિવસના હવામાન વિશે

ખાલી ડુંગળી અને ટામેટા જ નહીં, આ વસ્તુના કારણે પણ તમારી થાળી થઈ મોંઘીદાટ, કોઈને ખબર પણ ના પડી બોલો

કબરાઉ મોગલ ધામના મણિધર બાપુનું નિવેદન સામે આવ્યું છે તેમણે છે કે સ્વામિનારાયણના સંતો રાક્ષસ જેવા છે. તેઓ હવે હદ વટાવી રહ્યા છે. . માતા ખોડિયારનું અપમાન એ અઢારે વરણનું અપમાન છે. ઝેર ઓકતા સંતો સામે કાર્યવાહી કરવાનો સમય આવી ગયો છે.


Share this Article