Ahmedabad news : પતિને કોઈ બીજી સ્ત્રી સાથે જોઇ જતાં પતિએ તેની પત્નીને માર માર્યો અને ધમકી આપી કે હું સત્તરને લઇને ફરીશ તમે મારું કંઇ નહીં બગાડી શકો, અને જો મારા રસ્તામાં આવશો તો હું બધાને જાનથી મારી નાંખીશ. જો કે સાસરીયાના શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળીને અંતે પરિણીતાએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી છે. શહેરના ગીતામંદીર પાસે રહેતી એક મહીલાએ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે તેમની દીકરીને લગ્ન બાદ સાસરિયા વાંક ગુના કાઢીને મેણા ટોણા મારતા અને મારામારી કરતા હતાં. પરંતુ તેમણે લગ્ન જીવન ટકાવી રાખવા સહન કરવાનુ જણાવતા દીકરી મુંગા મોઢે સાસરીયાનો ત્રાસ સહન કરતી હતી.
બાળકો થયા બાદ પણ તેના સાસરિયાઓએ ત્રાસ આપવાનું ચાલું જ રાખ્યું હતું. ફરીયાદીની દીકરી જ્યારે પણ પિયરમાં આવે ત્યારે સાસરીયાના ત્રાસ અંગે જાણ કરતી હતી, પરિણીતા તેના પતિને કોઈ બીજી સ્ત્રી સાથે જોઇ જતાં ઘરે આવીને તેના પતિએ તેની સાથે મારામારી કરી હતી, જો કે પરિણીતા તેના પિયર માં આવી હોવાની જાણ થતાં તેનો પતિ પણ ત્યાં આવ્યો હતો અને ફરિયાદીની નજર સામે પરિણીતાને ગડદા પાટુનો માર માર્યો હતો, અને કહ્યું હતું કે હું સત્તરને લઇને ફરીશ તમે મારું કંઇ નહીં બગાડી શકો અને જો મારા રસ્તામાં આવશો તો હું બધાને જાનથી મારી નાંખીશ.
પરિણીતા આત્મહત્યા કરવા માટે સાબરમતી નદીએ ગઇ હતી. પરંતુ બાળકોનો વિચાર આવી જતાં તે પાછી આવી ગઇ હતી. બીજી સ્ત્રી સાથે આડા સંબંધ ન રાખવા માટે પરિણીતા એ તેના પતિને ઠપકો આપતા તેના સાસુ અને નણંદએ પતિ સાથે મળીને ઝઘડો કરી તેની પત્નીને માર માર્યો હતો. અને પંદર દિવસ સુધી ફરિયાદીને મળવા દીધેલ નહીં કે વાતચીત પણ કરવા દીધી ના હતી. 27મી જુને રાત્રીના સવા આઠેક વાગ્યાની આસપાસ ફરિયાદીના દીકરા પર તેના જાણીતાનો ફોન આવ્યો હતો. અને તેની બહેનએ દવા પીધેલ હોવાથી હોસ્પિટલ લઇ ગયા હોવાની જાણ કરતી હતી.
અદાણીની કંપનીનો બિઝનેસ રાતોરાત આસમાને પહોંચી જશે, હજારો કરોડના રોકાણનો માસ્ટર પ્લાન તૈયાર
LPG સિલિન્ડરના દરમાં ફેરફાર, બેંકોનું મર્જર, જાણો 1 જુલાઈથી શું ફેરફાર થશે જે સીધી તમને અસર કરશે
ફરિયાદી તેમના દીકરા સાથે હોસ્પિટલ પહોચ્યા હતાં. જ્યાં તેમની દીકરી કંઇ બોલતી ના હતી. અને તેના ચહેરા, ગળાના ભાગે તેમજ શરીરના ભાગે માર મારેલાના નિશાન દેખાતા હતાં. જે અંગે સાસરિયાને પૂછતાં તેમણે પણ કોઇ જવાબ આપ્યો ના હતો, પરિણીતાએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી હોવાનું જાણવા મળતા ફરિયાદીએ તેના પતિ, સાસુ અને નણંદની વિરુદ્ધમાં આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરાવ્યો છે. હાલમાં પોલીસ આ અંગે ફરિયાદ નોંધીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.