ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે પોતાના ૬૧માં જન્મ દિવસે દિવસનો પ્રારંભ અડાલજ ત્રીમંદિર જઈને દર્શન અર્ચનથી કર્યો હતો.
તેમણે આ મંદિર પરિસરમાં શ્રી સીમનધર સ્વામી તથા યોગેશ્વર ભગવાન સહિત દેવ પૂજા અર્ચના કરી.
પૂજ્ય દાદા ભગવાનને ભાવ વંદન તેમજ પૂજ્ય નિરૂમાં સમાધિ દર્શન કરીને કૃપા આશિષ યાચના કરી હતી.