મોટા મોટા શહેરોમાં દેહવ્યાપારના ધંધાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે વધારે એક કિસ્સો નાના શહેરમાં આવ્યો છે અને જેના કારણે હાહાકાર મચી ગયો છે. ચોટીલા હાઇવે પર આવેલા એક કોમ્પ્લેક્ષમાં ચાલતાં કૂટણખાના પર પોલીસે દરોડા પાડ્યા છે. જેમાં અનેક ઘટસ્ફોટ થયા છે. સુરેન્દ્રનગરમાં ગોરખધંધાનો પર્દાફાશ હાલમાં દરેક જગ્યાએ ચર્ચાઈ રહ્યો છે. પોલીસે દરોડા પાડી સંચાલક, ગ્રાહક સહિત છ લોકોને ઝડપી પાડ્યા હતા. સાથે જ 6 દુકાનોમાં આ ધંધો ચાલતો હોવાના સમાચાર મળી રહ્યા છે. પોલીસ દ્વારા ચોટીલા હાઇવે પરથી ઝડપાયેલા કૂટણખાના મામલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોલીસે દરોડા પાડીને ખુલાસો કર્યો કે 6 દુકાનોમાં દેહવ્યાપારનો ગોરખધંધો ચાલી રહ્યો હતો. 8 હજારમાં 6 દુકાનો ભાડે રાખી કૂટણખાનું ચલાવવામાં આવી રહ્યું હતું. પોલીસે દરોડા દરમિયાન સંચાલક અને ગ્રાહક સહિત 6 શખ્સોને પણ ઝડપી પાડ્યા છે. સાથે જ 4.35 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
500 Note: 2000 બાદ હવે 500ની નોટને લઈ સૌથી મોટું અપડેટ, લોકોએ 1000 કામ પડતાં મૂકી જાણી લેવું જોઈએ
Gujarat weather: અંગ દઝાડતી ગરમી ઘટવાને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, લોકો ખુશ-ખુશાલ થઈ ગયાં
જે બાદ પોલીસે જગ્યા ભાડે આપનાર શખ્સને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ય વિગતો અનુસાર વાપી, સુરત, કોલકાતા સહિતના શહેરોની પાંચ રૂપલલનાઓ પણ આ ધંધામાં ઝડપાઈ છે. અગાઉ પણ આવી રીતે ચાલતાં કૂટણખાના પર પોલીસ તવાઇ બોલાવી ચૂકી છે.