વિદેશીઓને ખબર નથી કે રાહુલ ગાંધી ખરેખર પપ્પુ છે, કિરેન રિજિજુની નિવેદનથી રાજકારણમાં ગરમાવો

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં આપેલા નિવેદનને લઈને ભાજપના નેતાઓના નિશાના પર છે. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા છે. તેણે રાહુલ ગાંધીને ‘પપ્પુ’ પણ કહ્યા છે. રિજિજુએ એક પછી એક ટ્વિટ કરીને રાહુલ ગાંધી પર શાબ્દિક પ્રહારો કર્યા છે.

રિજિજુએ કહ્યું, “કોંગ્રેસના સ્વ-ઘોષિત ક્રાઉન પ્રિન્સે તમામ હદો વટાવી દીધી છે. આ વ્યક્તિ ભારતની એકતા માટે અત્યંત ખતરનાક બની ગયો છે. હવે તે લોકોને ભારતના ભાગલા કરવા માટે ઉશ્કેરી રહ્યો છે. ભારતના સૌથી લોકપ્રિય અને પ્રિય માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ છે. એક મંત્ર ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’.”

રિજિજુએ આ ટ્વીટમાં રાહુલ ગાંધીનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં રાહુલ ગાંધી પીએમ મોદીની ટીકા કરતા જોવા મળી રહ્યા છે. રિજિજુએ વધુ એક વીડિયો શેર કર્યો છે.

વીડિયોમાં એક સમર્થક રાહુલ ગાંધીને સલાહ આપતા સાંભળી શકાય છે. રિજિજુએ આ ટ્વિટમાં કહ્યું, “રાહુલ ગાંધીજી અમારી વાત નહીં સાંભળે, પરંતુ મને આશા છે કે તેઓ તેમના સમર્પિત શુભચિંતકોની વાત સાંભળશે!”

રિજિજુએ વધુમાં કહ્યું, “ભારતના લોકો જાણે છે કે રાહુલ ગાંધી પપ્પુ છે, પરંતુ વિદેશીઓ નથી જાણતા કે તેઓ વાસ્તવમાં પપ્પુ છે. તેમના મૂર્ખામીભર્યા નિવેદનો પર પ્રતિક્રિયા આપવી જરૂરી નથી, પરંતુ સમસ્યા એ છે કે તેમના ભારત વિરોધી નિવેદનો થઈ રહ્યા છે. રાહુલ ગાંધીએ લંડનથી કેન્દ્ર સરકાર પર અનેક આરોપો લગાવ્યા છે.

માવઠાંએ જગતના તાતના મોંમાથી કોળિયો છીનવી લીધો, એકદમ તૈયાર પાકની પથારી ફરી ગઈ, પીડાથી તમારું હૈયું ચિરાઈ જશે

રાત્રે અમદાવાદમાં આગમન, સવારે મેચ, ઓસ્ટ્રેલિયાના PM સાથે સ્પેશિયલ રથમાં સ્ટેડિયમની મુલાકાત… જાણો PM મોદીનું આખું શેડ્યુલ

BIG BREAKING: બોલિવૂડમાં કોઈ ક્યારેય ન પુરી શકે એટલી મોટી ખોટ, સતીશ કૌશિકના આકસ્મિક નિધનથી આક્રંદનો માહોલ

રાહુલનું કહેવું છે કે સંસદમાં વિપક્ષી નેતાઓનો અવાજ સંભળાતો નથી. વિપક્ષી નેતાઓના માઈક બંધ છે. રાહુલે એમ પણ કહ્યું હતું કે મોદી દેશને બરબાદ કરી રહ્યા છે. તે પોતાના મંતવ્યો લાદી રહ્યા છે.


Share this Article