Ahmedabad News: આમ તો અમદાવાદમાં ખાણીપાણી માટે ઘણી જગ્યાએ ફેમસ છે. પણ એમાં સૌથી અવ્વલ નામ આવે છે માણેકચોકનું. માણેકચોકમાં પૈસાવાળા લોકોની પણ લાઈન લાગે છે. ત્યારે ગઈ રાતે ત્યાંથી એવી એવી તસવીરો સામે આવી કે જે જોઈને લોકો વિશ્વાસ નથી કરી શકતા. કારણ કેઅમદાવાદના માણેકચોક ખાણીપીણીના બજારમાં AMC દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. રસ્તા પર મુકાતા ટેબલ, ખુરશી હટાવી લેવાનો આદેશ કર્યો છે. દબાણ દૂર કરવાના હેતુથી બજારમાં AMCએ આકરી કાર્યવાહી કરી હોવાનું સામે આવ્યું છે.
ત્યારબાદ નજારો એવો થયો હતો કે AMCની કાર્યવાહીને લઈ સ્થાનિક વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિવિધ નિયમો લાગૂ કરીને હેરાન કરતું હોવાનો આક્ષેપ વેપારીઓએ કર્યા છે અને અનેક આરોપો પણ નાખ્યા છે. ગઈકાલે વેપારીઓએ ફરીથી લોકોને નીચે બેસાડીને જમાડ્યા હતા. લોકો પણ નીચે પાથરેલા પ્લાસ્ટિક પર બેસીને જમવા મજબૂર થયા હતા. આ લોકો પૈસાવાળા લોકો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
આ મામલે માણેકચોકના એક વેપારી મહાવીરભાઈએ સમગ્ર હકીકત પણ જણાવી હતી અને કહ્યું કે મારા પિતાજી 1960થી અહીં ભાજીપાઉંનો ધંધો કરે છે. અમે શાંતિથી ધંધો કરી રહ્યા છીએ. અમે લોકોને શાંતિથી જમાડીએ છીએ અને પ્રેમ પૂર્વક ધંધો કરીએ છીએ.
મહાવીરભાઈએ આગળની વાત કરી કે અમે શાંતિથી ધંધો કરતા હોવા છતાં વહીવટી તંત્રએ અમને ખુરશી ટેબલ હટાવી લેવાનો આદેશ આપ્યો છે. જેથી નીચે પ્લાસ્ટિક પાથવામાં આવ્યા છે. સારા ઘરના લોકો આવી રીતે નીચે બેસીને જમતા હોય અમને કેવું લાગે, તમે આવો અને આવી રીતે જમશો તમને પણ કેવું લગશે. અમારી માંગ છે કે અમારી રોજગારી દાવ પર લાગી ગઈ છે. મહેરબાની કરીને અમારી મદદ કરો. ત્યારે હવે આ મુદ્દાની ઘેરી અસર પડતી જોવા મળી રહી છે અને લોકોમાં મુદ્દાની ચર્ચા કરવામાં આવી રહી છે.