BREAKING: અમદાવાદ પર મોટી ઘાત, મણિનગર બાદ ગોમતીપુરમાં બિલ્ડીંગ કકડભૂસ, 30થી વધારે લોકો દટાઈ ગયા, રાહત કાર્ય શરૂ

Lok Patrika Desk
By Lok Patrika Desk
ahmedabad
Share this Article

અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ વચ્ચે ગોમતીપુરમાં બિલ્ડીંગ ધરાશાયી થઈ હોવાના સમાચાર સામે આવ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ બિલ્ડીંગ ઘરાશાયી થતા અનેક લોકો ફસાયા હોવાની શક્યતા છે. જેને લઈ ફાયર વિભાગની ટીમ દ્વારા તમામને બચાવી લેવા રેસ્કયુ હાથ ધરવામાં આવ્યું છે.

ahmedabad

અમદાવાદના ગોમતીપુરમાં બિલ્ડીંગ ઘરાશાયી થઈ હોવાના સમાચાર મળી રહ્યાં છે. ગુરૂવારે જ મણિનગરમાં પણ આવી જ ઘટના સામે આવી હતી.જે બાદમાં હવે શુક્રવારે ગોમતીપુરમાં બિલ્ડિંગ ધરાશાયી થઈ હોવાનું સામે આવ્યું છે. સ્થાનિકો મુજબ આ બિલ્ડિંગ ધરાશાયી થઈ તેમાં 30થી વધુ લોકો ફસાયાની શક્યતા છે. ઘટનાને લઈ ફાયર વિભાગે રેસ્કયું ઓપરેશન હાથ ઘર્યું છે.

ahmedabad

આ પણ વાંચોઃ

અંબાલાલે આખા દેશના ધબકારા વધારા દીધા, વર્લ્ડકપ ફાઇનલમાં વરસાદને લઈ કરી ઘાતક આગાહી, તમે પણ જાણી લો

આજે ગુજરાત સહિત 23 રાજ્યોમાં મેઘરાજા ધબધબાટી બોલાવી દેશે, આ રાજ્યોમાં તો ભારેથી અતિભારે વરસાદની વકીથી ખુશીનો માહોલ

અમદાવાદનો નફ્ફટ પતિ, પત્ની પર હૈવાનિયત કરવામાં કંઈ બાકી ન રાખ્યું, મારપીટ કરીને કહ્યું- હું તારા જેવી 17 લઈને ફરીશ….

ઉત્તમનગરમાં બાલ્કનીનો ભાગ ધરાશાયી થયો હતો

અમદાવાદ શહેરના મણિનગર સ્થિત ઉત્તમનગર સ્લમ કવાટર્સની બાલ્કનીનો ભાગ ધરાશાયી થયો હતો. ગુરૂવારે વહેલી સવારે ઉત્તમનગરના સ્લમ ક્વાટર્સની બાલ્કનીનો ભાગ ધરાશાયી થતાં જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્લમ કવાટર્સના બે મકાનની બાલ્કનીનો ભાગ ધરાશાયી થતાં જ સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો. આ અંગેની જાણ થતાં જ ફાયર અને પોલીસ વિભાગની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયરની ટીમ દ્વારા તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જોકે સદનસીબે આ ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી.


Share this Article