અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ વચ્ચે ગોમતીપુરમાં બિલ્ડીંગ ધરાશાયી થઈ હોવાના સમાચાર સામે આવ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ બિલ્ડીંગ ઘરાશાયી થતા અનેક લોકો ફસાયા હોવાની શક્યતા છે. જેને લઈ ફાયર વિભાગની ટીમ દ્વારા તમામને બચાવી લેવા રેસ્કયુ હાથ ધરવામાં આવ્યું છે.
અમદાવાદના ગોમતીપુરમાં બિલ્ડીંગ ઘરાશાયી થઈ હોવાના સમાચાર મળી રહ્યાં છે. ગુરૂવારે જ મણિનગરમાં પણ આવી જ ઘટના સામે આવી હતી.જે બાદમાં હવે શુક્રવારે ગોમતીપુરમાં બિલ્ડિંગ ધરાશાયી થઈ હોવાનું સામે આવ્યું છે. સ્થાનિકો મુજબ આ બિલ્ડિંગ ધરાશાયી થઈ તેમાં 30થી વધુ લોકો ફસાયાની શક્યતા છે. ઘટનાને લઈ ફાયર વિભાગે રેસ્કયું ઓપરેશન હાથ ઘર્યું છે.
આ પણ વાંચોઃ
અંબાલાલે આખા દેશના ધબકારા વધારા દીધા, વર્લ્ડકપ ફાઇનલમાં વરસાદને લઈ કરી ઘાતક આગાહી, તમે પણ જાણી લો
ઉત્તમનગરમાં બાલ્કનીનો ભાગ ધરાશાયી થયો હતો
અમદાવાદ શહેરના મણિનગર સ્થિત ઉત્તમનગર સ્લમ કવાટર્સની બાલ્કનીનો ભાગ ધરાશાયી થયો હતો. ગુરૂવારે વહેલી સવારે ઉત્તમનગરના સ્લમ ક્વાટર્સની બાલ્કનીનો ભાગ ધરાશાયી થતાં જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્લમ કવાટર્સના બે મકાનની બાલ્કનીનો ભાગ ધરાશાયી થતાં જ સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો. આ અંગેની જાણ થતાં જ ફાયર અને પોલીસ વિભાગની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયરની ટીમ દ્વારા તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જોકે સદનસીબે આ ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી.