51 અધિકારી-કર્મચારી સામે તાબડતોડ તપાસના આદેશથી ગુજરાતના ક્લાસ-1 અધિકારીઓ ફફડી ગયા, જાણો શું છે મોટો મામલો

Lok Patrika Desk
Lok Patrika Desk
2 Min Read
acb
Share this Article

રાજ્યમાં ક્લાસ-1 અધિકારીઓ કેટલીક ઘણી વખત લાંચ લેતા ઝડપાતા હોય છે. ત્યારે ચાર અધિકારી સહિત 51 અધિકારી અને કર્મચારીઓ સામે તપાસ ચાલી રહી છે. ACB દ્વારા લાંચ લેતા ઝડપાયેલા અધિકારીઓ તેમજ કર્મચારીઓ વિરૂદ્ધ તપાસ હાથ ધરી છે.

ઉપરાંત ACB દ્વારા અપ્રમાણસર મિલકતની તપાસ પણ શરૂ કરાઈ છે. તેમજ DA કેસ હેઠળ વર્ગ 1 ના 4, વર્ગ 2-12 અને વર્ગ-3 ના 19 અધિકારી અને કર્મચારીઓ સામે હાલમાં એસીબી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

acb

ACBએ અંદાજે 35 ભ્રષ્ટ્રાચારી અધિકારીઓની યાદી તૈયાર કરી

ACBનાં Dy.SP જી.વી. પઢીયારે જણાવ્યું હતું કે, સરકારી અધિકારીઓ દ્વારા કચેરીમાં કામ માટે આવતા અરજદારનું કામ ઝડપી થાય તે માટે તેની પાસે લાંચની માંગણી કરવામાં આવતી હોય છે. આવા ભ્રષ્ટ્રાચારી અધિકારીઓની એક યાદી બ્યુરો દ્વારા તૈયાર કરવામાં આવી હતી. જેમાં કુલ અંદાજે 35 ભ્રષ્ટ્રાચારી કર્મચારીઓ તેમજ અધિકારીઓ સામે અપ્રમાણસર મિલ્કતની તપાસ હાથ ધરવાનાં આદેશ નિયામકે આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો

આખા દેશમાં હવામાન ફરી બદલાયું, ક્યાંક આંધી, ક્યાંક વરસાદ તો ક્યાંક થશે કરાનો વરસાદ, IMDએ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું

ભારતને હિંદુ રાષ્ટ્ર જાહેર કરવાની માંગ પર મૌલાના ભડક્યા, કહ્યું- આગામી 500 વર્ષ સુધી પણ આવું નહીં થઈ શકે, કારણ કે….

2000ની નોટ આપો અને 2100 રૂપિયાનો સામાન મેળવો… દૂર ભાગવાની જગ્યાએ આ દુકાનદાર સામેથી 2000ની નોટ માંગે છે

‘ડમીકાંડ’માં સંડોવાયેલા લોકોની તપાસનાં આદેશ કરાયા

આ ઉપરાંત ACBનાં Dy.SP જી.વી. પઢીયારે જણાવ્યું હતું કે બહુચર્ચિત ‘ડમીકાંડ ‘માં સંડોવાયેલા કુલ 16 અધિકારી તેમજ કર્મચારીઓએ ભ્રષ્ટ્રાચાર આચરીને તેઓની કાયદેસર આવક કરતા વધુ સ્થાવર તેમજ જંગમ મિલકત વસાવેલી હોવાની શક્યતા હોઈ તમામ વિરૂદ્ધ અપ્રમાણસર મિલ્કતની તપાસના આદેશો કરવામાં આવેલ છે.


Share this Article
Leave a comment