અદાણી ગ્રુપ પર છેતરપિંડીના આરોપોને લઈને વિપક્ષ સતત સરકાર પર પ્રહારો કરી રહ્યું છે. આ મુદ્દે સોમવારે (6 ફેબ્રુઆરી)ના રોજ પણ સંસદના બંને ગૃહોમાં હંગામો થયો હતો, ત્યારબાદ કાર્યવાહી મંગળવાર (7 ફેબ્રુઆરી) સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. આ દરમિયાન કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પણ આ મુદ્દે સરકાર પર પ્રહારો કર્યા છે. રાહુલ ગાંધીએ સોમવારે કહ્યું હતું કે, “સરકાર પૂરી કોશિશ કરશે કે સંસદમાં અદાણી મુદ્દે કોઈ ચર્ચા ન થાય. સરકાર નથી ઈચ્છતી કે અદાણી મુદ્દા પર સંસદમાં ચર્ચા થાય, તે ડરી ગઈ છે. સરકારે સંસદમાં ચર્ચા કરવી જોઈએ. પરવાનગી આપવી જોઈએ. સંસદમાં આ અંગે ચર્ચા થવી જોઈએ, અદાણીજી પાછળ કોણ છે, દેશને ખબર હોવી જોઈએ.”
“દૂધનું દૂધ પાણીનું પાણી થવું જોઈએ”
કોંગ્રેસ સાંસદે આરોપ લગાવ્યો કે, “હું લાંબા સમયથી સરકાર વિશે કહેતો આવ્યો છું કે ‘હમ દો, હમારે દો’. હવે મોદીજી અદાણીજી પર ચર્ચા ન કરવાનો પૂરો પ્રયાસ કરશે. કારણ તમે જાણો છે. “જાણો. હું 2-3 વર્ષથી આ મુદ્દો ઉઠાવી રહ્યો છું. હું ઈચ્છું છું કે દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જાય. લાખો કરોડના ભ્રષ્ટાચારની ચર્ચા થવી જોઈએ.”
વિરોધ પક્ષોએ પ્રદર્શન કર્યું
કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી દળોના નેતાઓએ સોમવારે અદાણી ગ્રુપ પર લાગેલા આરોપોને લઈને સંસદ ભવનના પરિસરમાં મહાત્મા ગાંધીની પ્રતિમાની સામે પ્રદર્શન કર્યું હતું. વિપક્ષે સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી)ની સ્થાપના અથવા સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ આ મામલાની તપાસની માંગ કરી હતી.
આમ આદમીની મોંઘીદાટ ઓફર, AAPએ BJPના નેતાને ખરીદીને પોસ્ટ આપવા માટે કરી પુરા 1 કરોડની ઓફર!
PM મોદી પાસેથી માંગ્યો જવાબ
કોંગ્રેસનું કહેવું છે કે આ મુદ્દે ગૃહમાં ચર્ચા થવી જોઈએ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જવાબ આપવો જોઈએ. તમને જણાવી દઈએ કે, અમેરિકાના શોર્ટ-સેલર હિંડનબર્ગ રિસર્ચે રિપોર્ટ જાહેર કરીને આરોપ લગાવ્યો છે કે અદાણી ગ્રૂપ શેરોની હેરાફેરી અને છેતરપિંડીમાં સામેલ છે. જો કે અદાણી ગ્રુપ દ્વારા આ આરોપોને ફગાવી દેવામાં આવ્યા છે.