શુ રાજુ શ્રીવાસ્તવનું નિધન થયુ છે? હાલ આ ચર્ચા ચારેતરફ થઈ રહી છે. પ્રખ્યાત કોમેડિયન રાજુ શ્રીવાસ્તવને હાર્ટ એટેક આવ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. જો કે તેની હાલત અગાઉ નાજુક હતી પરંતુ નવીનતમ અપડેટ્સ અનુસાર રાજુની સ્થિતિમાં સતત સુધારો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન રાજુ શ્રીવાસ્તવના મૃત્યુના સમાચાર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
સોશિયલ મીડિયા પર પણ લોકોએ તેમને શ્રદ્ધાંજલિ આપવાનું શરૂ કરી દીધું છે. પરંતુ પરિવારના સભ્યોએ તેમના નિધનના સમાચારને નકારી કાઢ્યા છે અને સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને અફવા ન ફેલાવવાની અપીલ કરી છે. સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓ પર પરિવારે પણ પ્રતિક્રિયા આપી છે. ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી પોસ્ટ દ્વારા કોમેડિયનના પરિવારે માહિતી આપી કે રાજુ શ્રીવાસ્તવની હાલત હવે સ્થિર છે.
પરિવાર તરફથી જારી કરવામાં આવેલા નિવેદનમાં લખવામાં આવ્યું છે કે રાજુ શ્રીવાસ્તવજીની તબિયત સ્થિર છે. અમે તેને જલ્દી સ્વસ્થ થાય તેવી શુભેચ્છા પાઠવીએ છીએ. ડોક્ટરની ટીમ પણ પૂરી જવાબદારી સાથે તેમની સંભાળ લઈ રહી છે. આપના સતત પ્રેમ અને સમર્થન માટે આપ સૌ શુભેચ્છકોનો આભાર. હું દરેકને અપીલ કરું છું કે ફેક ન્યૂઝ અને અફવાઓ પર ધ્યાન ન આપો. કૃપા કરીને રાજુ શ્રીવાસ્તવજીના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરો. રાજુ શ્રીવાસ્તવનો પરિવાર.
ઉલ્લેખનીય છે કે, ગત દિવસોમાં એક હોસ્પિટલમાંથી મળેલી માહિતી અનુસાર હાર્ટ એટેકના કારણે રાજુ શ્રીવાસ્તવના મગજમાં ઘણું નુકસાન થયું છે. તેની સારવાર માટે આપવામાં આવતી દવાની તેના મગજ પર કોઈ અસર થઈ રહી નથી. તેમની હાલત હજુ પણ નાજુક છે અને તેઓ વેન્ટિલેટર પર છે. અગાઉ કોમેડિયનની પુત્રીએ માહિતી આપી હતી કે તેના પિતાની હાલત હજુ પણ નાજુક છે અને તેઓ હોસ્પિટલમાં દાખલ છે. ડોકટરો આઈસીયુમાં જ તેમની સારવાર કરી રહ્યા છે પરંતુ તેમની હાલતમાં ન તો સુધારો થયો છે કે ન તો વધુ ખરાબ.