ગુજરાતમાં ચાર્લિ ચેપ્લિનની છાપ ધરાવતા ડો. અશોકનું અવસાન, કચ્છમાં સોપો પડી ગયો, જાણો એમના જીવન વિશે!

Lok Patrika
By Lok Patrika
Share this Article

Kutch News: કચ્છના ડો. અશોક આસવાણી એટલે કે આખું ગુજરાત જેને ચાર્લિ‌ ચેપ્લિનના ડુબ્લિકેટ સમજતા હતા તેઓ હવે આ દુનિયામાં નથી રહ્યા. તેઓ ડોક્ટર હતા. જ્યારે બિમાર પડ્યા ત્યારે તેમને અમદાવાદ ખાતે મોટી હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા હતા. એ જ સમયે ચાર્લિ‌ ચેપ્લિન કહેવાતા ડોક્ટર અશોક આસવાણીનું નિધન થયું છે. હાલમાં કચ્છ વાસીઓને મોટી ખોટ પડતાં લોકોમાં માતમ પ્રસરી ગયો છે.

આદિપુરમાં ચાર્લિ‌ ચેપ્લિન પ્રશંસક ડો. અશોક આસવાણી તથા તેમના સભ્યો દર વર્ષે ચાર્લી ચેપ્લીનની જન્મજયંતીની ઉજવણી કરતા હતા. ચાર્લિ‌ સર્કલના માધ્યમથી દર વર્ષે આ વિશ્વવિખ્યાત અદાકારને શ્રદ્ધાંજલિ આપવામાં આવતી હતી. ચાર્લિ‌નની જન્મજયંતી નિમિત્તે પણ ચાર્લિ‌ સર્કલ દ્વારા સવારે ૧૦થી ૧૧ વાગ્યાના અરસામાં મદનસિંહ ચોકથી ગાંધી સમાધિ સુધી શોભાયાત્રા કાઢવામાં આવતી. જેમાં ચાર્લિ‌ ચેપ્લિન જેવા જ ગેટઅપમાં શાળાના બાળકો જોડાતા.

Breaking: આંદોલન બાદ સરકારનો મોટો નિર્ણય, TRB જવાનોને છૂટા કરવાનો પરિપત્ર મોકૂફ, હજારો પરિવારમાં આનંદ છવાયો

Video: ‘ઉપર હોસ્પિટલ, નીચે આતંકવાદીઓનું હેડક્વાર્ટર’, ઈઝરાયેલે દુનિયાને બતાવ્યું હમાસનું ‘અંડરવર્લ્ડ’ સિક્રેટ, જોનારા ચોંકી ગયાં

તૂટેલું દિલ અને દર્દનાક નિરાશા… વર્લ્ડ કપ ફાઇનલમાં હાર્યાના 4 દિવસ બાદ કેએલ રાહુલે શેર કરી એકદમ ઈમોશનલ પોસ્ટ

ત્યાર બાદ સાંજે ૪ વાગ્યે ચાર્લિ‌ની તસવીરની વિદ્યાર્થીઓ માટે ચિત્રસ્પર્ધાનું આયોજન કરાતું. સાંજે ૬ વાગ્યે પ્રભુદર્શન હોલ ખાતે ગાંધીધામ કોલેજીયેટ ર્બોડના અધ્યક્ષા અંજના હજારેના પ્રમુખપદે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાતા અને આ રીતે તેમને યાદ કરાતા. જો કે હવે આ બધાનું આયોજન કરનાર ડો. અશોક આસવાણી ફાની દુનિયાને અલવિદા કહી ગયા છે અને આદિપુર કચ્છ તેમજ ગુજરાતને મોટી ખોટ પડી છે.

 

 


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly