Gujarat news: અંબાલાલ પટેલે આ પહેલા એક વાવાઝોડાની આગાહી કરી હતી. જ્યારે હવે નવી આગાહીમાં 12થી 20 ઓક્ટોબર વચ્ચે બીજું વાવાઝોડું બંગાળના ઉપસાગરમાં ઉભું થશે એવી કરી છે અને ગુજરાતના લોકોમાં ફફડાટ મચી ગયો છે. આ સાથે જ અંબાલાલે દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર અને મુંબઈમાં ભારેથી અતિભારે વરસાદ પડશે એવી આગાહી કરવામાં આવી છે. વાવાઝોડાના કારણે ગુજરાતના કેટલાંક ઉત્તર પૂર્વીય ભાગમાં વરસાદ પડશે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં લોકો બિપરજોય વાવાઝોડા સામેની નુકસાનીમાંથી ઉભર્યા નથી ત્યાં જ અંબાલાલે બીજી બે વાવાઝોડાની આગાહી કરી. આગાહીકાર અંબાલાલ પટેલે બંગાળની ખાડી અને અરબસાગરમાં વાવાઝોડું આવવાની શક્યતા વ્યક્ત કરી છે. તેમના કહેવા મુજબ 30 સપ્ટેમ્બરથી બંગાળની ખાડીમાં થાઈલેન્ડ બાજુ લો પ્રેશર બનશે. ત્યારબાદ 2 ઓક્ટોબર સુધી તે અરબ સાગરમાં આવી પહોંચશે.
અંબાલાલ પટેલે આગળ વાત કરતાં કહ્યું કે 12 ઓક્ટોબર સુધીમાં વાવાઝોડું ભીષણ સ્વરૂપ ધારણ કરશે. આ વાવાઝોડું સિવિયર સ્ટ્રોમથી એક્સટ્રિમ સિવિયર સ્ટ્રોમ પણ બની શકે. આ સમયે અરબસાગરમાં પણ એક મજબૂત સિસ્ટમ બનવાની શક્યતા જોવા મળી રહી છે.
અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 2018 જેવું વાવાઝોડું હશે. એ વાવાઝોડામાં 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાવાની શક્યતા પણ વ્યક્ત કરાઈ છે. વાવાઝોડાની અસરના પગલે વરસાદની આગાહી કરાઈ છે કે 27,28 અને 29 સપ્ટેમ્બરે ભારેથી અતિભારે વરસાદ ખાબકશે.