BREAKING: ભારતમાં H3N2 વાયરસે તબાહી મચાવી, આ જગ્યાએ 10 દિવસ બધી જ સરકારી-ખાનગી શાળા બંધ કરવાની જાહેરાત

Lok Patrika
By Lok Patrika
Share this Article

કોરોના વાયરસ મહામારી બાદ ફરી એકવાર નવા વાયરસને લઈને ચિંતા વધી રહી છે. વાયરસને ફેલાતો અટકાવવા માટે અત્યારથી જ સાવચેતી રાખવામાં આવી રહી છે. સતત વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને અસરકારક પગલાં પણ લેવામાં આવી રહ્યા છે. જેના કારણે હવે બાળકોને વાયરસથી બચાવવા શાળાઓ બંધ કરવાની કવાયત શરૂ કરવામાં આવી છે. આ ક્રમમાં, કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં, સરકારે H3N2 ઈન્ફલ્યુએન્ઝા વાયરસની વધતી અસરને ધ્યાનમાં રાખીને 16 માર્ચથી 26 માર્ચ સુધી ધોરણ 8 સુધીની તમામ શાળાઓને બંધ કરવાની જાહેરાત કરી છે.

આ આદેશ કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરી, કરાઈકલ, માહે અને યાનમના ચારેય પ્રદેશોની શાળાઓ માટે લાગુ થશે, ખાસ કરીને બાળકોમાં ઈન્ફલ્યુએન્ઝાની વધતી અસરને કારણે… ગૃહ અને શિક્ષણ મંત્રી એ.કે. નમ્માશિવયમે કહ્યું કે બાળકોમાં ઈન્ફલ્યુએન્ઝાના પ્રસારને ધ્યાનમાં રાખીને સરકારે પ્રાથમિકથી લઈને આઠમા ધોરણ સુધીની તમામ સરકારી અને ખાનગી શાળાઓમાં રજા જાહેર કરી છે. પુડુચેરીના આરોગ્ય વિભાગે 11 માર્ચે કહ્યું હતું કે 4 માર્ચ સુધી પુડુચેરીમાં વાયરલ H3N2 જેવા કે તેનાથી સંબંધિત 79 કેસ નોંધાયા છે.

દેશમાં શું સ્થિતિ છે

તમને જણાવી દઈએ કે દેશભરમાં ફ્લૂના કેસ ઝડપથી વધી રહ્યા છે. H3N2 એ એક એવો ઈન્ફલ્યુએન્ઝા વાયરસ છે જે સામાન્ય રીતે ડુક્કરમાંથી માણસોમાં ફેલાય છે. તેના લક્ષણો સિઝનલ ફ્લૂ વાયરસ જેવા જ છે. તે તાવ અને ઉધરસ અને ગળફા સહિત શ્વસન સમસ્યાઓના લક્ષણો દર્શાવે છે. આ ઉપરાંત કેટલાક દર્દીઓને શરીરનો દુખાવો, ઉબકા, ઉલટી કે ઝાડા સહિતની અન્ય સમસ્યાઓ પણ થાય છે. ઈન્ફલ્યુએન્ઝા વાયરસ પણ એકબીજાથી ફેલાય છે. તે પણ કોરોના જેવો ચેપી રોગ છે.

આ વળી નવું આવ્યું, જાણો શું છે વીકેન્ડ મેરેજ, જેમાં લગ્ન થઈ જાય પણ તમે કુંવારા રહી શકો છો

તમે ક્યાં સુધીની ઘડિયાળ ખરીદી છે? આ છે વિશ્વની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત્ત એટલા કરોડ કે 400 ફ્લેટ ખરીદી શકાય

કોણ છે એ અભિનેત્રી જેની સાથે પ્રેમમાં પાગલ છે KGF એક્ટર યશ, હોટ તસવીરો જોઈ આંખ મટકું નહીં મારે

એટલા માટે નિષ્ણાતો કહે છે કે લોકોએ ભીડવાળી જગ્યાઓ પર જવાનું ટાળવું જોઈએ. આ સાથે એકબીજાથી યોગ્ય અંતર જાળવવું જોઈએ અને માસ્કનો પણ ઉપયોગ કરવો જોઈએ. તબીબોના મતે ફલૂના અમુક દર્દીઓને જ હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર છે. કેટલાક કિસ્સાઓમાં, એવું જોવામાં આવ્યું છે કે દર્દીઓ સતત ઉધરસની ફરિયાદ કરવાનું શરૂ કરે છે જેના કારણે નબળાઇ વધે છે.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly