Gujarat News: આખા ભારતમાં કોરોનાએ ફરીવાર હાહાકાર મચાવ્યો છે. ત્યારે કોરોનાનો ગુજરાતમાં પણ એવો જ પ્રકોપ છે. કોવિડનાં નવા વેરિએન્ટ JN.1ના કેસ સામે આવતાની સાથે જ આરોગ્ય વિભાગ પણ તકેદારીના ભાગ રૂપે દોડતું થઈ યું છે.
ગુજરાતમાં હાલ કોરોનાના 66 કેસ એક્ટિવ છે, પણ આ આંકડો અઠવાડિયા પહેલા ફક્ત 23 હતો. જો કે આરોગ્યંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે,કોરોનાના JN.1 વેરિયન્ટથી ચિંતા કરવાની જરૂર નથી બસ સતર્ક રહેવાની જરૂર છે. એટલે ગુજરાતીઓમાં થોડો હાશકારો પણ જોવા મળી રહ્યો છે.
હાલમાં ગુજરાતની સ્થિતિ વિશે વાત કરીએ તો રાજ્યમાં JN.1ના વેરિએન્ટના 40 કેસ છે, પરંતુ 22 દર્દી સાજા થઈ ગયા એ એક રાહતની વાત પણ ગણવામાં આવી રહી છે. 14 દર્દીઓ હોમ આઈસોલેશન હેઠળ છે. જો કે આ નવા વેરીએન્ટને કારણે અમદાવાદમાં 82 વર્ષીય વૃદ્ધાનું મૃત્યુ એ એક ચિંતા વધારનારા સમાચાર છે.
હાલ ગુજરાતમાં કુલ 66 એક્ટિવ કોવિડ કેસ છે. એમાં જિલ્લા પ્રમાણે જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં 47, રાજકોટમાં 10, ગાંધીનગરમાં 4, દાહોદમાં 1, ગીર સોમનાથમાં 1, કચ્છમાં 1, મોરબીમાં 1 અને સાબરકાંઠામાં 1 એક્ટિવ કેસ જોવા મળી રહ્યો છે.