વિદ્યાર્થીઓને લઈ કોઈને કોઈ સમાચાર સામે આવતા રહે છે. શિક્ષણ વિભાગમાં પણ હવે ગેરરીતિ અને ગુનાઓનો અડ્ડો જોવા મળી રહ્યો છે. ત્યારે હાલમાં વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં ABVP દ્વારા કોન્વોકેશન પૂર્વે વિદ્યાર્થીઓ પાસેથી સ્કાફ અને ફોલ્ડરના નામે 500 રૂપિયા ઉઘરાવી લેવાનો મામલો સામે આવતા હાહાકાર મચી જવા પામ્યો છે. આ પૈસા પરત કરવા અને માર્કશીટ આપવાની માંગ સાથે 3 દિવસથી આંદોલન ચાલી રહ્યું છે. આ મામલે અગાઉ આવેદન પત્ર પણ આપવામાં આવ્યું હતું.
જો આજની મળતી વિગતો પ્રમાણે વાત કરીએ તો એમ.એસ.યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સલર સામે ચાલતા આ આંદોલનમાં ABVP કાર્યકરોએ એમ.એસ.યુનિવર્સિટીની સિક્યોરિટી અને વિજિલન્સ ઓફિસમાં મોટાપાયે તોડફોડ કરી હતી. વિદ્યાર્થીઓએ વીસીનો ઘેરાવ કરતા સંગઠન અને વિજિલન્સ વચ્ચે બબાલ સર્જાઈ હતી. આ દરમિયાન એબીવીપી દ્વારા વીસી લાપતા હોવાના પોસ્ટર્સ પણ લગાવવામાં આવ્યા હતા. જેમાં એક વિદ્યાર્થીને ઇજા થતાં તે બેભાન થયો હતો.
સામસામે ઘર્ષણ પણ થયું હતું જેમાં વિગતો મળી રહી છે કે ઋત્વિક મકવાણા નામના યુવાનને ગંભીર ઇજા થવા પામી હતી. તો ધરણામાં ગરમીને પગલે વિધ્યાર્થીની એકતા કપૂર બેભાન થઈ ગઈ હતી. આ બનેને સારવાર માટે એમ્બ્યુલન્સમા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. માર્કશીટ અને 500 રૂપિયા મામલે આલ્ટીમેટ બાદ ખાતરી આપવામાં આવી હતી. પરંતુ હવે વીસી મળી રહ્યા નથી. આથી તે લાપતા હોવાના બેનર્સ સાથે એબીવીપી દ્વારા ધગધગતા તાપમાં ઘરણાં કરવામાં આવ્યા હતા. તાત્કાલિક સયાજીગંજ પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો.
આ સમગ્ર મામલે સયાજીગંજ પોલીસ સ્ટેશનના PIએ નિવેદન આપી જણાવ્યું કે એમ.એસ.યુનિવર્સિટી ફરિયાદ નોંધાવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હાલ પરિસ્થિતિ સંપૂર્ણ કાબૂમાં હોવાનું PI આર.જી.જાડેજાએ જણાવ્યું હતું. તો જો અમદાવાદની વાત કરીએ તો છેલ્લા કેટલાય સમય થી શૈક્ષણિક સંસ્થાઓ માં શાળા , કોલેજો માં હત્યા , છેતરપિંડી, બહેનો ની છેડતી જેવી ગુનાહિત પ્રવૃત્તિ ઓ સતત વધી રહી છે. કેટલાક અસામાજીક તત્વો દ્વારા સમગ્ર શિક્ષણ જગત પર દાગ લગાવાવનુ કામ નિરંતર ચાલી રહ્યું છે. આ પ્રકારના ની માનસિકતા ધરાવતા ઈસમો ને જાણે પ્રશાસન , પોલિસ કે સરકાર ની જાણે કોઈ પરવાહ જ ન હોય તેવુ પુરવાર થતુ જોઈ શકાય છે. શિક્ષણ પરિસરો મા આવા અસામાજીક તત્વો ને રોકવા અને નિયંત્રણ મા લાવવા ધણુ આવશ્યક બન્યું છે.
હાલમા જ આર.સી ટેક્નિકલ કોલેજ ના વિધાર્થીનુ અન્ય કોલેજ ના વિધાર્થીનુ દ્વારા ક્રુર હત્યા કરવામાં આવી છે, તેના થોડા સમય પહેલા જ નવગુજરાત કોલેજ ની વિધાર્થીની ની છેડતી બહાર ના વિધાર્થી દ્વારા કરવામાં આવી હતી, ત્યારે પણ વિધાર્થી પરિષદ દ્વારા કોલેજમાં પ્રસાશન ને સુરક્ષા બાબતે આંદોલન કરવામાં આવ્યું હતું. અને બનાસકાંઠા મા થયેલ આર્યન મોદી હત્યાકાંડ ની ધટના અને પ્રદેશ ની કેટલીય પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓ જેવી કે એમ.એસ યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટીઓ મા પણ આ રીતે વારંવાર થતી પરિસરો મા ગુનાહિત પ્રવૃત્તિ ઓ પર પ્રશાસન, પોલીસ અને સરકારે ગહન ચિંતન આવશ્યક જણાઈ આવી રહ્યું છે.
ગુજરાતીઓ માટે માર્ચ મહિનો અતિભારે, માવઠાનો ડબલ ડોઝ મળશે, કમોસમી વરસાદ લોકોને રાતે પાણીએ રડાવશે
અ.ભા.વિ.પ. ગુજરાત પ્રદેશ મંત્રી સુશ્રી યુતિ બેન ગજરે જણાવે છે કે, ” જે રીતે શૈક્ષણિક પરિસરો માં વારંવાર ગુનાહિત પ્રવૃત્તિઓ બની રહી છે. તે ખૂબ ચિંતાનો વિષય છે. શિક્ષણ પરિસરોમા જ જો વિધાર્થી ઓની સુરક્ષા ની ખાત્રી ન હોય , તો તેની જવાબદારી કોની? માટે આ સમગ્ર ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે પોલીસ પ્રશાસન અને સરકારે ચિંતા કરવી ધણી આવશ્યક છે.