Gujarat News: ખુબ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હવે TRB જવાનોને છુટા નહીં કરવામાં આવે. સરકારે ફેર વિચારણા માટે આ નિર્ણય હાલ પુરતો મોકૂફ રાખ્યો છે. TRB જવાનોને છૂટા કરવાના નિર્ણય મામલે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જે બેઠકમાં CM ભૂપેન્દ્ર પટેલ અને અધિકારીઓ જોડાયા હતા. જેમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ઓનલાઇન જોડાયા હતા જેમાં નિર્ણય લેવાયો છે કે, TRB જવાનોને છૂટા કરવાનો પરિપત્ર અત્યારે મોકૂફ રખાયો છે.
હાલમાં મળી રહેલા સમાચાર વિશે વાત કરીએ તો TRB જવાનોને લઈ સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. TRB જવાનોને છૂટા કરવાના નિર્ણય મામલે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આજે બેઠક મળી હતી.
જો કે સીઆર પાટીલે પણ કહ્યું હતું કે સાંજ સુધીમાં સારા સમાચાર મળશે અને સાચે જ સારા સમાચાર મળી ગયાં. આજની આ બેઠકમાં CM ભૂપેન્દ્ર પટેલ અને અધિકારીઓ જોડાયા હતા.